અરવલ્લી : વીજળી પડતા 34 ઘેટા-બકરાના મોત, માલધારી પરિવારમાં આક્રંદ...

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાય જવાની ઘટનાઓ સામે આવી છે.

New Update
અરવલ્લી : વીજળી પડતા 34 ઘેટા-બકરાના મોત, માલધારી પરિવારમાં આક્રંદ...

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાય જવાની ઘટનાઓ સામે આવી છે. તો બીજી તરફ, અબોલા જીવોની હાલત કફોળી બની છે. ધનસુરામાં 34 ઘેટા-બકરાના મોત નીપજ્યા છે.

અરવલ્લી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ધનસુરા તાલુકામાં માલધારી પરિવાર પર આફત આવી પડી છે. જામઠા ગામના માલધારી પરિવારના 34 જેટલા ઘેટા-બકરા પર વીજળી પડવાથી મોત થયું છે, જેને લઈને પરિવાર આક્રંદ કરી રહ્યો છે. નેસમાં રહેતા માલધારી પરિવારની ભારે વરસાદ વચ્ચે સ્થિતિ કફોળી બની છે. બુધવારના દિવસે આ પરિવારે કમાલ ગામની સીમમાં ઘેટા-બકરા ચરાવવા ગયા હતા. તે દરમિયાન અચાનક વરસાદ બાદ વીજળી પડતા ઘેટા-બકરાના મોત નિપજ્યા હતા. આજે પણ ધનસુરા પંથકમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પશુપાલકે જણાવ્યું હતું કે, પશુઓના મોતના પગલે સ્થાનિક તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.