/connect-gujarat/media/post_banners/2de0c203ae65cba25a5143bd231ead7bcec5052f6236fd23ae4dedea39c15c32.jpg)
લોકસભાની ચૂંટણી પહેલા અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અધ્યક્ષતામાં ભાજપ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અધ્યક્ષતામાં અરવલ્લીના મોડાસા સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે આયોજિત ભાજપ સંમેલનમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મોડાસા, બાયડ તેમજ ધનસુરા તાલુકામાંથી કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં જોડાયેલા 300 જેટલા કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોને ભાજપ પ્રદેશ પ્રમુખે કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા હતા. તો ગત વિધાનસભામાં આપમાંથી ટિકિટ નહીં મળતા અપક્ષમાંથી ચૂંટણી લડેલા પૂર્વ આપના નેતા રાહુલ સોલંકી પણ ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખે મોડાસા, માલપુર તેમજ ધનસુરા તાલુકા કક્ષાના ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું. આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર 5 લાખથી વધુ મતથી જીત મેળવવાનો ભાજપ પ્રદેશ પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.