અરવલ્લી : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયું સંમેલન, કોંગ્રેસના 300 કાર્યકરો ભાજપમાં જોડાયા...

લોકસભાની ચૂંટણી પહેલા અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અધ્યક્ષતામાં ભાજપ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
અરવલ્લી : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયું સંમેલન, કોંગ્રેસના 300 કાર્યકરો ભાજપમાં જોડાયા...

લોકસભાની ચૂંટણી પહેલા અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અધ્યક્ષતામાં ભાજપ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અધ્યક્ષતામાં અરવલ્લીના મોડાસા સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે આયોજિત ભાજપ સંમેલનમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મોડાસા, બાયડ તેમજ ધનસુરા તાલુકામાંથી કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં જોડાયેલા 300 જેટલા કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોને ભાજપ પ્રદેશ પ્રમુખે કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા હતા. તો ગત વિધાનસભામાં આપમાંથી ટિકિટ નહીં મળતા અપક્ષમાંથી ચૂંટણી લડેલા પૂર્વ આપના નેતા રાહુલ સોલંકી પણ ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખે મોડાસા, માલપુર તેમજ ધનસુરા તાલુકા કક્ષાના ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું. આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર 5 લાખથી વધુ મતથી જીત મેળવવાનો ભાજપ પ્રદેશ પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના, ટાટા ગ્રુપ બાદ હવે AIR INDIAએ પણ સહાય આપવાની કરી જાહેરાત

અમદાવાદમાં જૂન 12 ના રોજ થયેલી દુ:ખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ટાટા ગ્રુપ દ્વારા વળતરની જાહેરાત કરાયા બાદ હવે AIR INDIA એ પણ સહાય આપવાની જાહેરાત કરી છે.

New Update
Air India Pilot

અમદાવાદમાં જૂન 12 ના રોજ થયેલી દુ:ખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ટાટા ગ્રુપ દ્વારા વળતરની જાહેરાત કરાયા બાદ હવે AIR INDIA એ પણ સહાય આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો અને ઘાયલોને ₹25 લાખ (અંદાજે 21,000 GBP) ની વચગાળાની રકમ આપવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ  થયેલા આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી 241 લોકોના દુર્ખદ અવસાન થયા હતા. આ વિમાન એક હોસ્પિટલના હોસ્ટેલ  પર પડ્યું હતું, જેના કારણે ત્યાં રહેતા ઘણા લોકો મૃત્યુ પામ્યા અને ઘણા ઘાયલ થયા.

AIR INDIA એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વળતરની જાહેરાત કરતા જણાવ્યું કે, "તાજેતરના અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારો સાથે એર ઇન્ડિયા એકતામાં ઉભી છે. આ અવિશ્વસનીય મુશ્કેલ સમયમાં સંભાળ અને સહાય પૂરી પાડવા માટે અમારી ટીમો તમામ પ્રયાસો કરી રહી છે."

AIR INDIA એ તેની પોસ્ટમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "અમારા સતત પ્રયાસોના ભાગ રૂપે, એર ઇન્ડિયા (Air India) તાત્કાલિક નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે મૃતકો અને બચી ગયેલા લોકોના પરિવારોને ₹25 લાખ અથવા આશરે 21,000 GBP ની વચગાળાની ચુકવણી (Interim Payment) કરશે."

મહત્વપૂર્ણ છે કે, આ સહાય ટાટા સન્સ દ્વારા પહેલાથી જ જાહેર કરાયેલ ₹1 કરોડ અથવા આશરે 85,000 GBP સહાય ઉપરાંત છે. AIR INDIA એ વધુમાં જણાવ્યું કે આ અકસ્માત પછી થયેલા નુકસાનથી તેઓ બધા દુઃખી છે.

ટાટા ગ્રુપે આ દુર્ઘટના અંગે અગાઉ જ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, "આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ટાટા ગ્રુપ  ₹1 કરોડનું વળતર આપશે. અમે ઘાયલોના તબીબી ખર્ચનો પણ ભોગ લઈશું અને ખાતરી કરીશું કે તેમને જરૂરી તમામ સંભાળ અને સહાય મળે. વધુમાં, અમે બી.જે. મેડિકલ ના હોસ્ટેલના  નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઉભા છીએ."



 

Latest Stories