Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ કાર્યક્રમનું આયોજન કરાયુ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અરવલ્લી જીલ્લામાં ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

X

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અરવલ્લી જીલ્લામાં ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે માતૃભૂમિ તેમજ વીર-વીરાંગનાઓ પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે દેશભરમાં ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે અરવલ્લીના માલપુર ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.માલપુર ખાતે ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી અને દેશના અમર શહીદોને શ્રદ્ધાંજલિરૂપે નિર્મિત શિલાફલકમનું લોકાર્પણ કરાયું. અને સ્વતંત્રતા સેનાનીઓના પરિવાર અને નિવૃત સૈનિકનું સન્માન કરવામાં આવ્યું અને તિરંગા યાત્રા કરવામાં આવી.

Next Story