અરવલ્લી: બાળકોના રસીકરણમાં વાગ્યો ડંકો,15થી18 વર્ષના બાળકોનું રસીકરણ 100 ટકા પૂર્ણ

ટૂંક જ સમયમાં 15થી18 વર્ષના બાળકોના રસીકરણનું લક્ષ્ય 100 ટકા પૂર્ણ કરી રાજયમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે

New Update
અરવલ્લી: બાળકોના રસીકરણમાં વાગ્યો ડંકો,15થી18 વર્ષના બાળકોનું રસીકરણ 100 ટકા પૂર્ણ

અરવલ્લી જિલ્લાએ બાળકોના રસીકરણ અભિયાનમાં ડંકો વગાડયો છે અને ટૂંક જ સમયમાં 15થી18 વર્ષના બાળકોના રસીકરણનું લક્ષ્ય 100 ટકા પૂર્ણ કરી રાજયમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે

અરવલ્લી જિલ્લામાં પંદર થી અઢાર વર્ષના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ ની વેક્સિનેશન કામગીરી સો ટકા પૂર્ણ કરી સમગ્ર રાજ્યમાં અરવલ્લી જિલ્લો પ્રથમ બન્યો છે. જિલ્લામાં 15 થી અઢાર વર્ષના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના વેક્સિનેશ માટે ઝૂંબેશને પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ કામગીરી અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ એ ટૂંક સમયમાં પૂર્ણ કરી છે.આ માટે પંયાયત, શિક્ષણ, મહેસૂલ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ માટે પ્રથમ તબક્કામાં શાળામાં હાજર વિદ્યાર્થીઓની વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.જ્યારે બીજા તબક્કામાં ગેરહાજર અથવા તો કોવિડને કારણે શાળામાં ન આવતા હોય એવા બાળકોની યાદી તૈયાર કરીને સંપૂર્ણ વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. 15થી18 વર્ષના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનિઓની વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરી સમગ્ર રાજ્યમાં અરવલ્લી જિલ્લો પ્રથમ ક્રમ આવ્યો છે

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.