અરવલ્લી : પારિવારિક રાજકારણ ગરમાયું, મહિલા સરપંચ પદ માટે મેદાને ઉતરી દેરાણી-જેઠાણી...

દેરાણી-જેઠાણી સામ સામે પ્રચારની કામગીરીનો પ્રારંભ કર્યો સરપંચ પદ માટે 11 મહિલા ઉમેદવારોએ મેદાનમાં ઉતરી

New Update
અરવલ્લી : પારિવારિક રાજકારણ ગરમાયું, મહિલા સરપંચ પદ માટે મેદાને ઉતરી દેરાણી-જેઠાણી...

અરવલ્લી જિલ્લાના ગઢા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસાકસી ભર્યો જંગ જામ્યો છે, ત્યારે મહિલા અનામત સરપંચ પદ માટે 11 મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતરી છે. જોકે, મહત્વની વાત તો એ છે કે, આ મહિલા ઉમેદવારોમાં દેરાણી અને જેઠાણીએ પણ સામ સામે ઉમેદવારી નોંધાવી છે. સામાન્ય રીતે સમાજમાં પણ દેરાણી અને જેઠાણી વચ્ચે 'વાકયુદ્ધ' ખેલાતું જ હોય છે. અને દેરાણી-જેઠાણીના સુમેળભર્યા સબંધોની મહેક પણ મહેકી ઉઠે છે, ત્યારે આગામી 19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. જેમાં અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ગઢા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ મહિલા અનામત હોવાથી 11 મહિલાઓ સરપંચ બનવા મેદાનમાં છે. જેમાં દેરાણી-જેઠાણી ગામની ધૂરા સંભાળવા ચૂંટણી મહાસંગ્રામમાં ઝંપલાવ્યું છે. દેરાણી-જેઠાણી સામસામે ચૂંટણી જંગના મેદાનમાં ઉતરતા સ્થાનિક અને પારિવારિક રાજકારણ ગરમાયું છે. જો કે, દેરાણી-જેઠાણી બન્ને વચ્ચે સુમેળભર્યા સબંધો ચૂંટણી બાદ પણ બની રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મોડાસા તાલુકાની ગઢા ગ્રામ પંચાયત વિસ્તારમાં આજુબાજુના 5 ગામનો સમાવેશ થાય છે. ગઢા ગ્રામ પંચાયતમાં 2200થી વધુ મતદારોનો દબદબો છે, ત્યારે મહિલા સરપંચ પદ માટે દેરાણી કંચન પટેલ અને જેઠાણી શિલ્પા પટેલ પણ ઝંપલાવ્યું છે. ગામના મુખિયા બનવા 11 મહિલાઓ મેદાનમાં છે, અને જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તમામ મહિલા ઉમેદવારો ગામને આદર્શ બનાવવા અને ગામમાં વિકાસના અધૂરા રહેલા કામ ઝડપથી પૂર્ણ કરવા માટે કટિબદ્ધ હોવાનું જણાવી મતદારોને રીઝવી રહી છે. જોકે, નાનકડા ગામમાં 11 મહિલા ઉમેદવારો પ્રચારમાં નીકળતી હોવાથી ચૂંટણીનો અનેરો માહોલ જામ્યો છે.

Read the Next Article

રાજકીય સન્માન સાથે આજે સાંજે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે

રાજકીય સન્માન સાથે આજે સાંજે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે 11 વાગ્યે પરિવારને પાર્થિવદેહ સોંપાશે.

New Update
1749726703_new-project-8

રાજકીય સન્માન સાથે આજે સાંજે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે 11 વાગ્યે પરિવારને પાર્થિવદેહ સોંપાશે. તો સાંજે 4થી 5 વાગ્યા સુધી અંતિમ દર્શન કરી શકાશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત મુજબ  સોમવાર, 16 જૂન 2025ના રોજ ગુજરાત રાજ્યમાં રાજકીય શોક પાળવામાં આવશે. આ દિવસ દરમિયાન શોકના પ્રતિક રૂપે ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

  • સવારે11:00 વાગ્યે: ગાંધીનગર નિવાસસ્થાનેથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે.
  • સવારે11:30 વાગ્યે: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પાર્થિવ દેહ પરિવારને સોંપાશે. સવારે 11:30 થી 12:30 વાગ્યે: સિવિલ હોસ્પિટલ, અમદાવાદથી એરપોર્ટ જવા રવાના થશે.
  • બપોરે12:30 થી 2:00 વાગ્યે: હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પહોંચશે.
  • બપોરે2:00 થી 2:30 વાગ્યે: રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ સુધી પહોંચશે.
  • બપોરે2:30 થી 4:00 વાગ્યે: ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને (પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ) જવા માટે ભવ્ય અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ બાપુ આશ્રમ રોડ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી, પૂજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ અને નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી પહોંચશે.
  • સાંજે4:00 થી 5:00 વાગ્યે: તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જ્યાં શોકમગ્ન જનતા અને મહાનુભાવો શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે.
  • સાંજે5:00 થી 6:00 વાગ્યે: નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક (કાલાવડ રોડ), મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) થઈને રામનાથપરા સ્મશાન પહોંચશે.
  • સાંજે6:00 વાગ્યે: રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.  
Latest Stories