'અષાઢી બીજ' કચ્છનું નવું વર્ષ; કચ્છી ભાંવરે કે જજીયું જજીયું વંધાઈંયું

‘અષાઢી બીજ’ કચ્છીમાડુંઓ માટે છે નવું વર્ષ, કચ્છી હાલારી સંવત 2078 નો થયો પ્રારંભ.

New Update
'અષાઢી બીજ' કચ્છનું નવું વર્ષ; કચ્છી ભાંવરે કે જજીયું જજીયું વંધાઈંયું

કચ્છ એટલે હેતાળ પ્રદેશ, સુકો પ્રદેશ પણ દરિયાદિલ પ્રદેશ, પ્રેમાળ કચ્છીમાડુઓ આજે નવું વર્ષ ઉજવી રહ્યાં છે. ભારતીય શાસ્ત્રોમાં પણ જેનો ઉલ્લેખ જોવા મળે છે તે મરુ મેરું અને મેરામણનો પ્રદેશ એવા પ્રાચીન અને સરહદી જિલ્લા કચ્છ માટે આજથી નવું વર્ષ શરૂ થયું છે. અષાઢી બીજ કચ્છી પરંપરાનું નવું વર્ષ છે.

અષાઢી બીજ તહેવારના નામ માત્રથી વિશ્વભરમાં રહેતા કચ્છી માડુના મન પુલકિત થઇ ઉઠે છે. સામાન્ય રીતે ભારતમાં અષાઢી બીજનો દિવસ રથયાત્રા દિન તરીકે ઓળખાય છે પણ કચ્છીઓ માટે એ નવું વર્ષ છે. સોમવારે અષાઢના બીજા દિવસે કચ્છ જ નહીં દેશ-દેશાવરમાં નૂતન વર્ષ ઉજવવા થનગનાટ છે પરંતુ સતત બીજા વર્ષે કોરોના મહામારીએ લાદેલી પાબંદીઓ ઉત્સવ ઉજવવામાં નડશે. આ અષાઢી બીજે કચ્છી હાલારી સંવત 2078નો પ્રારંભ થઈ રહ્યો છે. વિક્રમ સંવત 1231માં જામ રાયધણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી. ત્યારથી અષાઢી બીજ ઉજવાય છે અને નવું વર્ષ મનાવાય છે. કચ્છના રાજવી ખેંગારજી ત્રીજાએ પોતાની જન્મતિથીથી કચ્છી પંચાંગ શરૂ કરાવ્યું હતું. વિક્રમ સંવત કરતાં ચાર માસ આગળ કચ્છી નવું વર્ષ ઉજવાય છે.

રાજાશાહીના સમયમાં આજના દિવસે નવા સિક્કાઓનું પણ છાપકામ શરૂ કરાતું હતું. બખ મલાખડો, સફેદ રણ, કાળો ડુંગર, માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, રવેચીધામ, પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય બોર્ડર, કચ્છી ભરત સહિત અનેક બાબતોથી કચ્છ પ્રદેશ સૌથી અલગ તરી આવે છે અને તેથી જ કચ્છી પ્રજા ખમતીધર પ્રજા તરીકે ઓળખાય છે.

અષાઢી બીજનું મહત્વ અનેક ઘણું છે કચ્છમાં વર્ષોથી અષાઢી બીજ પર્વ ઉજવવામાં આવે છે. અંજાર તાલુકાના સતાપર ખાતે આવેલ ગોવર્ધન પર્વત ખાતે પૂજ્ય સંત ત્રિકમદાસજી મહારાજને ભાવિકોએ મીઠું મોઢું કરાવીને એકમેકને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત અંજાર ખાતે આવેલ સચિદાનંદ મંદિર ખાતે ભાવિકોએ નવા વર્ષની શુભકામના પાઠવી હતી.

Read the Next Article

અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારમાંથી 2 દિવસમાં 15 રખડતા ઢોર પકડાયા, તંત્રની ઝુંબેશ યથાવત

અંકલેશ્વર ઔદ્યોગિક વસહતના રહેણાંક વિસ્તારોમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા બે દિવસથી રખડતા ઢોર પકડવાની શરૂ કરવામાં આવી છે ત્યારે 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે.

New Update

અંકલેશ્વર જીઆઈડીસીમાં તંત્રની ઝુંબેશ
રસ્તે રખડતા ઢોર પકડવા કાર્યવાહી
બે દિવસમાં 15 ઢોર પકડાયા
ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી
ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે

અંકલેશ્વર ઔદ્યોગિક વસહતના રહેણાંક વિસ્તારોમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા બે દિવસથી રખડતા ઢોર પકડવાની શરૂ કરવામાં આવી છે ત્યારે 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વરસાદના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે અકસ્માત સહિતના બનાવવામાં વધારો થયો હતો.આ અંગેની અનેક રજૂઆત નોટિફાઇડ એરીયા ઓથોરિટીને મળતા અંતે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શરૂ કરાયેલ ઝુંબેશમાં છેલ્લા 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા હતા. નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા અટલજી જોગર્સ પાર્ક, ગટટુ વિદ્યાલય સરદાર પાર્ક સહિતના વિસ્તારોમાંથી રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા.આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ રખડતા  ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે તો સાથે જ ઢોરના માલિકો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
Latest Stories