બનાસકાંઠા : પિસ્તોલ સાથે ઉત્તરપ્રદેશથી મુંબઈ શેઠના ઘરે લૂંટ કરવા જતાં 3 ઇસમોની ધરપકડ...

બનાસકાંઠા અને રાજસ્થાન વચ્ચે આવેલી અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર બોર્ડર પર ફરજ પરની પોલીસ રૂટિન ચેકીંગ કરી રહી હતી.

New Update
બનાસકાંઠા : પિસ્તોલ સાથે ઉત્તરપ્રદેશથી મુંબઈ શેઠના ઘરે લૂંટ કરવા જતાં 3 ઇસમોની ધરપકડ...

બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પર ઉત્તરપ્રદેશથી મુંબઈ શેઠના ત્યાં લૂંટ કરવાના ઇરાદે પિસ્તોલ લઈને નીકળેલા 5 પૈકી 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા અને રાજસ્થાન વચ્ચે આવેલી અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર બોર્ડર પર ફરજ પરની પોલીસ રૂટિન ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક કાર ઉપર શક જતા તેને રોકાવી તલાશી લેવાનો પ્રયાસ કરતા કારમાં સવાર 5માંથી 2 ઇસમો પોલીસને જોઈ ભાગી ગયા હતા, જ્યારે પોલીસે અન્ય 3 ઇસમોને પકડી કારમાં તપાસ કરતા તેમાંથી દેસી બનાવટની 2 પિસ્તોલ અને 21 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જેથી પોલીસે પિસ્તોલ અને કારતૂસ સહિત 3 ઇસમોની અટકાયત કરી પૂછપરછ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, એક ઇસમ મુંબઈ નોકરી કરતો હતો, ત્યારબાદ ઘરે આવી અન્ય 4 મિત્રોને લઈ પોતાના વતન ઉત્તરપ્રદેશથી શેઠના ઘરે સોના-ચાંદી અને રોકડ રકમની લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે કુલ રૂ. 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલ અન્ય 2 ઇસમોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: પોલીસ દ્વારા BAIL કંપનીમાં રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ !

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના

New Update

ભરૂચ પોલીસની કાર્યવાહી

ડ્રગસના જથ્થાનો નાશ કરાયો

દહેજની બેઇલ કંપનીમાં નાશ કરાયો

રૂ.1.25 કરોડની કિંમતનું ઝડપાયું હતું ડ્રગસ

વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.
રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના ગુન્હામાાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા  તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડૉ. કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષકના  માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના 7 પોલીસ પોલીસ મથકના 17 ગુનામાં ઝડપાયેલા રૂ.1.25 કરોડની કિંમતના 608 કિલો ડ્રગ્સનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો.સૌથી વધુ 576 કિલો ડ્રગ્સ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.
Latest Stories