બનાસકાંઠા : પિસ્તોલ સાથે ઉત્તરપ્રદેશથી મુંબઈ શેઠના ઘરે લૂંટ કરવા જતાં 3 ઇસમોની ધરપકડ...

બનાસકાંઠા અને રાજસ્થાન વચ્ચે આવેલી અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર બોર્ડર પર ફરજ પરની પોલીસ રૂટિન ચેકીંગ કરી રહી હતી.

New Update
બનાસકાંઠા : પિસ્તોલ સાથે ઉત્તરપ્રદેશથી મુંબઈ શેઠના ઘરે લૂંટ કરવા જતાં 3 ઇસમોની ધરપકડ...

બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પર ઉત્તરપ્રદેશથી મુંબઈ શેઠના ત્યાં લૂંટ કરવાના ઇરાદે પિસ્તોલ લઈને નીકળેલા 5 પૈકી 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

બનાસકાંઠા અને રાજસ્થાન વચ્ચે આવેલી અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર બોર્ડર પર ફરજ પરની પોલીસ રૂટિન ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક કાર ઉપર શક જતા તેને રોકાવી તલાશી લેવાનો પ્રયાસ કરતા કારમાં સવાર 5માંથી 2 ઇસમો પોલીસને જોઈ ભાગી ગયા હતા, જ્યારે પોલીસે અન્ય 3 ઇસમોને પકડી કારમાં તપાસ કરતા તેમાંથી દેસી બનાવટની 2 પિસ્તોલ અને 21 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જેથી પોલીસે પિસ્તોલ અને કારતૂસ સહિત 3 ઇસમોની અટકાયત કરી પૂછપરછ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, એક ઇસમ મુંબઈ નોકરી કરતો હતો, ત્યારબાદ ઘરે આવી અન્ય 4 મિત્રોને લઈ પોતાના વતન ઉત્તરપ્રદેશથી શેઠના ઘરે સોના-ચાંદી અને રોકડ રકમની લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે કુલ રૂ. 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલ અન્ય 2 ઇસમોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

Advertisment
Read the Next Article

પોલીસ પુત્રની કરપીણ હત્યા..! : ભાવનગરમાં સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસ પુત્રને 2 શખ્સોએ રહેંસી નાંખ્યો...

હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા

New Update
  • શહેરમાં ધોળે દિવસે બની હત્યાની ચકચારી ઘટના

  • 2 શખ્સે કરી મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યા

  • સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો પોલીસ પુત્ર

  • બનાવના પગલે પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

  • દીકરાના મૃતદેહ નજીક માતાનું હૈયાફાટ રુદન 

Advertisment

ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન 2 શખ્સો કેવલને છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાજ્યાં તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની ફેલાય હતી. બનાવને લઇને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે CCTVના આધારે ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisment