બનાસકાંઠા : કાંકરેજના આણંદપુરા પ્રાથમિક શાળાના જર્જરીત ઓરડાની દીવાલ ધરાશાયી થતા શ્રમિકનું મોત..!
કાંકરેજ તાલુકાના આણંદપુરા ગામે જર્જરીત શાળાના ઓરડાને ઉતારવાની કામગીરી દરમ્યાન દીવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે દબાઈ જતા એક શ્રમિકનું મોત નીપજ્યું હતું.
BY Connect Gujarat Desk3 April 2023 9:01 AM GMT
X
Connect Gujarat Desk3 April 2023 9:01 AM GMT
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના આણંદપુરા ગામે જર્જરીત શાળાના ઓરડાને ઉતારવાની કામગીરી દરમ્યાન દીવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે દબાઈ જતા એક શ્રમિકનું મોત નીપજ્યું હતું.
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના આણંદપુરા પ્રાથમિક શાળામાં જર્જરીત ઓરડાની દીવાલ ઉતારતી વેળા દુર્ઘટના સર્જાય હતી. જેમાં જર્જરીત ઓરડાની દીવાલ અચાનક ધરાશાયી થતા મજુરી કામ કરતાં શ્રમિક કાટમાળ નીચે દબાયા હતા. જેમાં રાજસ્થાનના સિંગલી ગામના 25 વર્ષીય મુકેશ મેહજી મહીડાનું કાટમાળ નીચે દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવી થરા પોલીસ મથકે જાણ કરી હતી, ત્યારે પોલીસે સ્થળ પર આવી અકસ્માતે શ્રમિકના મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Next Story