બનાસકાંઠા : આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ કોરોના સામે જંગ જીતવા માટે સજ્જ,10 ICU બેડ,આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા

બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનાં પોઝીટીવ કેસ મળી આવતા તંત્ર સફાળુ જાગ્યું અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં 10 ICU બેડ સાથે આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો

New Update
  • કોરોનાનાં કેસમાં ચિંતાજનક વધારો

  • આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા પગલા

  • આદ્યશક્તિ હોસ્પિટલને કરાઈ સજ્જ

  • 10 ICU વોર્ડ,આઇસોલેશન વોર્ડ કરાયા સજ્જ

  • દવા સહિત ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે,અને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં 10 ICU બેડ તેમજ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનાં પોઝીટીવ કેસ મળી આવતા તંત્ર સફાળુ જાગ્યું છે. આ સાથે શક્તિપીઠ અંબાજી ધામમાં ગુજરાત જ નહિ પણ વિવિધ પ્રાંતોમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે.ત્યારે કોરોના જેવી બાબતને લઈને અંબાજીનું સબ ડીસ્ટ્રીકટ જનરલ હોસ્પિટલ પણ પોતાની તૈયારીમાં લાગી ગયું છેઅંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં 10 ICU બેડ સાથે આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

કોરોના દહેશતને પગલે પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાયો છે અને ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે અદ્યતન બે પ્લાન્ટ સહિત એક્સ્ટ્રા ઓક્સિજનની બોટલો પણ હોસ્પિટલમાં તૈયાર રાખવામાં આવ્યા છે.કોરોનાની ગમે તેવી પરિસ્થિતિમાં પણ દર્દીને પૂરતી સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા અંબાજીની આ જનરલ હોસ્પિટલમાં કરવામાં આવી છે.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.