બનાસકાંઠા : વિસ્ફોટક પદાર્થમાં ભડકો થતાં ફટાકડા ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5થી વધુ શ્રમિકના મોતની આશંકા..!

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યા હતા. તો બીજી તરફ, આ ઘટનામાં 5થી વધુ શ્રમિક

New Update

ડીસામાં ઢુંવા રોડ પર ફટાકડા ફેક્ટરીની ઘટના

ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ

ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યા

5થી વધુ શ્રમિકના મોત થયા હોવાની આશંકા

ઘટના અંગે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરાય

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યા હતા. તો બીજી તરફઆ ઘટનામાં 5થી વધુ શ્રમિકના દાઝી જતાં મોત થયા હોવાની આશંકા સેવાઇ રહી છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 5થી વધુ શ્રમિકના દાઝી જતાં મોત થયા હોવાની આશંકા સેવાઇ રહી છે. બનાવની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતાજ્યાં ભીષણ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ108 ઈમરજન્સી સેવાની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર હાજર થઈ હતી. આગની ભયાનકતાના કારણે મોતનો આંકડો વધવાની પણ શક્યતા સેવાઇ રહી છે. મળતી માહિતી અનુસારદિપક ટેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન વિસ્ફોટક પદાર્થમાં અચાનક ભડાકો થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જોકેફેક્ટરી માલિકે ફટાકડા બનાવવા માટેની પરમિશન લીધી છે કેનહીં તે હજુ જાણી શકાયું નથી. તો બીજી તરફનાયબ મામલતદાર સહિત ચીફ ઓફિસર પણ ઘટનાસ્થળે પહોચ્યા હતા. સાથે જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.