વલસાડ : પાવરગ્રીડ પ્રોજેક્ટ મુદ્દે ભારતીય કિસાન સંઘ આવ્યું અસરગ્રસ્ત ખેડૂતોના પડખે, જુઓ કેવી ચીમકી ઉચ્ચારી..!

પાવરગ્રીડ પ્રોજેકટને લઈને ખેડૂતો અને પાવરગ્રીડ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને ખેડૂતોના વળતર અને જમીન સંપાદનના પ્રશ્નોને લઈને પણ અનેક વાર વિવાદો થયા છે

New Update
  • છેલ્લા ઘણા સમયથી પાવરગ્રીડ પ્રોજેક્ટ સામે વિવાદ

  • ભારતીય કિસાન સંઘ આવ્યું અસરગ્રસ્ત ખેડૂતોના પડખે

  • ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતો સાથે બેઠકનું આયોજન

  • ખેડૂતોને માર્ગદર્શન આપી યોગ્ય વળતર મુદ્દે રણનીતિ

  • આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાય

વલસાડમાં ચાલી રહેલ પાવરગ્રીડ પ્રોજેક્ટને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતો સાથે બેઠક યોજાય હતી. જેમાં ખેડૂતોને માર્ગદર્શન આપી યોગ્ય વળતર મળે તે હેતુસરની રણનીતિ ધડવામાં આવી હતી.

છેલ્લા ઘણા સમયથી પાવરગ્રીડ પ્રોજેકટને લઈને ખેડૂતો અને પાવરગ્રીડ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છેજેને લઈને ખેડૂતોના વળતર અને જમીન સંપાદનના પ્રશ્નોને લઈને પણ અનેક વાર વિવાદો થતાહવે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જંત્રીસરકારી બજાર કિંમત સહિત વળતરમાં આવતી વિસંગતતાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોની જમીનમાં કામગીરીને લઈને પણ ખેડૂતોએ રોષ વ્યકત કર્યો હતો.. આ સાથે જ હવે આગામી દિવસોમાં વળતર ન ચુકવવામાં આવે તો કામગીરી પણ અટકાવવામાં અટકાવી ઉગ્ર આંદોલનની રણનિતી તૈયાર કરવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.