ભરૂચ: હાંસોટના ઇલાવ ગામના 15 કાવડયાત્રીઓ રામેશ્વરમ જ્યોતિર્લિંગની યાત્રાએ જવા રવાના, 30 દિવસમાં 1800 કી.મી.નું અંતર કાપશે

ગુજરાત | સમાચાર ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં ઇલાવગામના કાવડયાત્રીઓ રામેશ્વરમ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા, ભોળાશંભુને રીઝવવા પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ

New Update
ભરૂચ
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં ઇલાવગામના કાવડયાત્રીઓ રામેશ્વરમ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા, ભોળાશંભુને રીઝવવા પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ તમિલનાડુમાં આવેલ રામેશ્વરમ જયોતિર્લિંગની કાવડયાત્રાએ જવા રવાના થયા હતા. આજરોજ ગામના રામજી મંદિર,ભીડભંજન મહાદેવ મંદિર,વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દરમ્યાન ગ્રામજનો દ્વારા કાવડયાત્રીઓને શુભકામના પાઠવવામાં આવી હતી અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. આગેવાન જયેશ પટેલ, મહાદેવભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઇલાવ ગામના 15 યાત્રીઓ  1800 કી.મી.નું અંતર પગપાળા કાપી 30 દિવસે તમિલનાડુના રામેશ્વરમ  જયોતિર્લિંગ ખાતે પહોંચશે અને શ્રાવણ માસમાં  દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરીપરત ઇલાવ આવવા રવાના થશે. કાવડયાત્રીઓ દ્વારા રોજનું 60 કી.મી.નું અંતર પગપાળા કાપવામાં આવશે.ગામના યુવાનો દ્વારા અત્યાર સુધીમાં કુલ 12 પૈકી 8 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરવામાં આવી છે અને આ વર્ષે રામેશ્વરમ  સાથે 9 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ થશે
Latest Stories