ભરૂચ : PM મોદીની બાલ્ય અવસ્થાથી પ્રધાનમંત્રીના જીવન સફરને રજૂ કરતું ચિત્ર પ્રદર્શન ખુલ્લુ મુકાયું...

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકો દેશના લોક લાડીલા અને વિશ્વભરમાં અદ્વિતીય લોકચાહના મેળવતા નરેન્દ્ર મોદીના બાલ્ય કાળથી લઈ હાલ દેશના સફળ સુકાની સુધીની યાત્રાથી વાકેફ થાય તે માટે પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી હતી.

New Update
ભરૂચ : PM મોદીની બાલ્ય અવસ્થાથી પ્રધાનમંત્રીના જીવન સફરને રજૂ કરતું ચિત્ર પ્રદર્શન ખુલ્લુ મુકાયું...

બાળપણથી વડાપ્રધાન બનવા સુધીની સફરને જીવંત કરાય

ભાજપ દ્વારા PM મોદીના ચિત્રો સાથેનું પ્રદર્શન ખુલ્લુ મુકાયું

શહેરીજનોને પણ આ ચિત્ર પ્રદર્શન નિહાળવા અનુરોધ કરાયો

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકો દેશના લોક લાડીલા અને વિશ્વભરમાં અદ્વિતીય લોકચાહના મેળવતા નરેન્દ્ર મોદીના બાલ્ય કાળથી લઈ હાલ દેશના સફળ સુકાની સુધીની યાત્રાથી વાકેફ થાય તે માટે પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી હતી.

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ જ્યોતિનગર સ્થિત જ્વાલેશ્વર મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણથી વડાપ્રધાન સુધીની જીવન સફરના ચિત્ર પ્રદર્શનને ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું છે, ત્યારે આ ચિત્ર પ્રદર્શન આગામી 24 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, નગરપાલીકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ સહિતના આગેવાનોએ પ્રદર્શનીની મુલાકાત લીધી હતી. આ સાથે જ અન્ય લોકોને પણ આ પ્રદર્શન નિહાળી વડાપ્રધાનના જીવન પરથી પ્રેરણા લેવા અનુરોધ કરાયો હતો.

Latest Stories