New Update
ભરૂચમાં બકરી ઈદના પર્વનું કાઉન્ટડાઉન
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસની કવાયત
પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજાય
પોલીસ કાફલો જોડાયો
શહેરીજનોએ શાંતિ સલામતીનો કર્યો અનુભવ
ભરૂચમાં બકરી ઇદના પર્વ પર શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે ભરૂચ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કાફલો જોડાયો હતો
17 મી જૂનના રોજ મુસ્લિમ સંપ્રદાયનો બકરી ઇદનો તહેવાર હોય ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ ભયમુક્ત વાતાવરણમાં પર્વની ઉજવણી પાર પડે તે હેતુસર ભરૂચ એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસ મથકના વિસ્તારમાં એસ.પી. મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચના ડીવાયએસપી સી.કે.પટેલ અને એ ડીવીઝનના પીઆઈ વી.યુ. ગડરિયાની આગેવાનીમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ હતું.જેમાં પાંચ પીએસઆઈ અને 65 પોલીસ જવાનોએ એ અને બી ડીવીઝનના વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ કરી હતી જેના કારણે શહેરીજનોએ શાંતિ અને સલામતીનો અહેસાસ કર્યો હતો