ભરૂચ : જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશનની વિવિધ શાખાના નવા પ્રમુખનો પદગ્રહણ સમારોહ સંપન્ન
બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ઈન્સ્ટોલેશન સેરેમની યોજાય, જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશનની શાખાના નવા પ્રમુખોનો પદગ્રહણ.
BY Connect Gujarat19 July 2021 9:05 AM GMT
X
Connect Gujarat19 July 2021 9:05 AM GMT
ભરૂચ શહેરના બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશનની વિવિધ શાખાઓના નવા પ્રમુખોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો.
બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ગત રવિવારના રોજ જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશનની વિવિધ સામાજિક સેવા આપતી શાખાઓ જાયન્ટસ ગ્રુપ ઓફ ભરૂચ, ભૃગુ સહેલી અને યંગ જાયન્ટસના નવા પ્રમુખોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો, ત્યારે વર્ષ 2021-22ની ઇન્સ્ટોલેશન સેરેમનીમાં પુનઃ એકવાર જાયન્ટસ ગ્રુપ ઓફ ભરૂચના નવનિયુક્ત પ્રમુખ જાયન્ટસ જગદીશ ભાવસાર, ભૃગુ સહેલી ગ્રુપના પ્રમુખ જાયન્ટસ રક્ષા ફિટર અને યંગ જાયન્ટસ ગ્રુપના પ્રમુખ જયમીન વ્યાસના પદગ્રહણ સમારોહમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત જાયન્ટસ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Next Story