ભરૂચ : જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશનની વિવિધ શાખાના નવા પ્રમુખનો પદગ્રહણ સમારોહ સંપન્ન

બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ઈન્સ્ટોલેશન સેરેમની યોજાય, જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશનની શાખાના નવા પ્રમુખોનો પદગ્રહણ.

New Update
ભરૂચ : જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશનની વિવિધ શાખાના નવા પ્રમુખનો પદગ્રહણ સમારોહ સંપન્ન

ભરૂચ શહેરના બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશનની વિવિધ શાખાઓના નવા પ્રમુખોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો.

બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ગત રવિવારના રોજ જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશનની વિવિધ સામાજિક સેવા આપતી શાખાઓ જાયન્ટસ ગ્રુપ ઓફ ભરૂચ, ભૃગુ સહેલી અને યંગ જાયન્ટસના નવા પ્રમુખોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો, ત્યારે વર્ષ 2021-22ની ઇન્સ્ટોલેશન સેરેમનીમાં પુનઃ એકવાર જાયન્ટસ ગ્રુપ ઓફ ભરૂચના નવનિયુક્ત પ્રમુખ જાયન્ટસ જગદીશ ભાવસાર, ભૃગુ સહેલી ગ્રુપના પ્રમુખ જાયન્ટસ રક્ષા ફિટર અને યંગ જાયન્ટસ ગ્રુપના પ્રમુખ જયમીન વ્યાસના પદગ્રહણ સમારોહમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત જાયન્ટસ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.