/connect-gujarat/media/media_files/mflQy5bAgPTZti8ag0xV.jpeg)
ભરૂચમાં હોમી લેબ અને એસ.એમ.સી.પી સંસ્કાર વિદ્યાભવન ઝાડેશ્વર ખાતે સંસ્કાર ભારતી ટ્રસ્ટના ફ્યુચર ઝોનમાં ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું ગતરોજ કલેકટર તુષાર સુમેરા અને હોમી લેબના ફાઉન્ડર રિજનપાલ સિંહના હસ્તે ઉદ્દઘાટન આવ્યું
અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.
પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેના ભરૂચ જિલ્લાની અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ આયોજિત સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર તેમજ પ્રાંત અધિકારી સહિત અરજદારોની ઉપસ્થિતિમાં 10 અરજદારોએ પોતાની ફરિયાદો રજૂ કરી હતી. જેમાં અધિકારીઓએ ફરિયાદિને રૂબરૂ સાંભળ્યા બાદ 8 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.