New Update
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી છે શાળા
સંસ્કાર વિદ્યાભવનમાં નિર્માણ પામી લેબ
ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું ઉદ્દઘાટન
કલેકટર તુષાર સુમેરા રહ્યા ઉપસ્થિત
શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ પણ હાજર
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એસ.એમ.સી.પી સંસ્કાર વિદ્યાભવન ખાતે ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું ઉદ્દઘાટન કરાયું હતું
ભરૂચમાં હોમી લેબ અને એસ.એમ.સી.પી સંસ્કાર વિદ્યાભવન ઝાડેશ્વર ખાતે સંસ્કાર ભારતી ટ્રસ્ટના ફ્યુચર ઝોનમાં ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું ગતરોજ કલેકટર તુષાર સુમેરા અને હોમી લેબના ફાઉન્ડર રિજનપાલ સિંહના હસ્તે ઉદ્દઘાટન આવ્યું હતું. ફ્યુચર ઝોનની અદ્યતન વિશેષતાઓ અને શૈક્ષણિક સંભાવનાઓ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,વર્ચ્યુયલ રિયાલીટી થકી ભવિષ્યની સફળ કરાવવા સાથે સ્પેશમાં વર્ચ્યુઅલી લઈ જવામાં આવશે વધુમાં આ લેબનો બાળકો,યુવાનો અને વિદ્યાર્થીઓ લાભ લઇ શકશે