ભરૂચ:શહેર અને જિલ્લામાં ઉમંગ અને આસ્થાભેર હોલિકા દહન, ભક્તિભાવ પૂર્વક કરાય ઉજવણી

ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં હોળી પર્વની પરંપરાગત ઉજવણી કર્યા બાદ શુક્રવારે રંગોના પર્વ ધુળેટીને ઉજવવા લોકો સજ્જ બન્યા છે.આસ્થાના પર્વ હોળીની ભરૂચ જિલ્લામાં

New Update
આસુરી શક્તિ પર દૈવી શક્તિનું પર્વ
હોળીના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
ઠેર ઠેર હોળીકા દહનના કાર્યક્રમો યોજાયા
આસ્થાભેર ઉજવણી કરવામાં આવી
આવતિકાલે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી
ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં હોળી પર્વની પરંપરાગત ઉજવણી કર્યા બાદ શુક્રવારે રંગોના પર્વ ધુળેટીને ઉજવવા લોકો સજ્જ બન્યા છે.
આસ્થાના પર્વ હોળીની ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ઉત્સાહ સાથે પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. સંધ્યાકાળે શુભ મુહૂર્તમાં ઠેર ઠેર હોલિકા દહન કરાયું હતું.નિર્વિઘ્ને પાર પડ્યું હતું. શ્રદ્ધાળુઓએ હુતાશણીમાં નારિયેળ, ધાણી, ચણા, ખજૂર, હોમીને બાળકો અને પરિવારના સ્વાસ્થ્ય તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મહિલાઓએ હોળી માતાની પૂજા કરી પરિવારના સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય માટેની મંગલકામનાઓ કરી હતી.રંગોના પર્વ ધુળેટીની એકમેકને રંગી શુક્રવારે ઉજવણી કરવા ભરૂચના રંગ રસિયાઓ સજ્જ બન્યાં છે.
Advertisment
Advertisment
Read the Next Article

“ઓપરેશન અખરોટ” : બાળકની શ્વાસનળીમાં ફસાયેલ અખરોટના ટુકડાને વલસાડના તબીબોએ સફળતાપૂર્વક બહાર કાઢ્યો...

વલસાડ શહેરમાં 4 વર્ષીય બાળકની શ્વાસનળીમાંથી અખરોટનો ટુકડો કાઢી તેનો જીવ બચાવવામાં આવ્યો છે, ત્યારે બાળકના પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

New Update
62

વલસાડ શહેરમાં 4 વર્ષીય બાળકની શ્વાસનળીમાંથી અખરોટનો ટુકડો કાઢી તેનો જીવ બચાવવામાં આવ્યો છેત્યારે બાળકના પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisment

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસારબીલીમોરાના રહેવાસી પરિવારમાં 4 વર્ષીય બાળક અખરોટ ખાતો હતો.

આ દરમ્યાન રમતા રમતા બાળકની શ્વાસનળીમાં અખરોટનો ટુકડો ફસાઈ ગયો હતો. જે બાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતાં પરિવાર હેબતાઈ ગયો હતો.

જોકેબાળકને તાત્કાલિક સારવાર અર્થે વલસાડ ખાતે ખસેડવામાં આવ્યો હતોજ્યાં ડો. મિતેષ મોદી દ્વારા તાત્કાલિક બાળકનું દૂરબીનની મદદથી ઓપરેશન કરવામાં આવ્યો હતો.

ડો. મિતેષ મોદી સહિતના સ્ટાફે બાળકની શ્વાસનળીમાંથી સફળતાપૂર્વક અખરોટનો ટુકડો કાઢ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેઆ ઓપરેશન દરમ્યાન બાળકના શરીર પર કોઈપણ કટ કેકાપ મુકવામાં આવ્યો ન હતો.

તો બીજી તરફસફળતાપૂર્વક પાર પડાયેલા ઓપરેશન બાદ બાળકના પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisment