ભરૂચ : NSUIના કાર્યકરો હાથમાં લોલિપોપ લઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા

NSUIના કાર્યકરોનું કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન, લોલીપોપ લઇ NSUIના કાર્યકરો પહોંચ્યા કલેક્ટર કચેરી.

New Update
ભરૂચ : NSUIના કાર્યકરો હાથમાં લોલિપોપ લઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા

રાજ્ય સરકાર શાળા, કોલેજોમાં 50% ફી માફી કરાવે તેવી માંગ સાથે હાથમાં લોલીપોપ લઇ ભરૂચ NSUIના કાર્યકરોએ કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Advertisment

કોરોનાકાળમાં વેપાર ધંધો ઠપ થતાં ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને પરિવારનું ગુજરાન ઘણું મુશ્કેલ બન્યું છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા વાલીઓ તથા વાલી મંડળના અભિપ્રાય લીધા વિના નવા શૈક્ષણિક સત્ર દરમિયાન વાલીઓ પાસેથી ફી ઉઘરાવીને વાલીઓને લોલીપોપ અપાયા હોવાનો આક્ષેપ ભરૂચ જિલ્લા NSUI દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં 25% સરકાર દ્વારા અને 25% શાળાઓ દ્વારા એમ 50% વાલીઓને ફી માફ થાય તે માટે NSUI દ્વારા હાથમાં લોલીપોપ લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ આગૌ પણ NSUI ના જિલ્લા પ્રમુખ અને હોદ્દેદારો દ્વારા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ અનેક વખત આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી, જેથી આજરોજ NSUI દ્વારા ફરીથી હાથમાં લોલિપોપ લઈને કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો NSUI દ્વારા ઉગ્ર પગલાં લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Advertisment
Read the Next Article

રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે

New Update
aaagagahi

રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે.

Advertisment

જેના પગલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 થી 25 તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

નોંધનીય છે કે, બુધવારે રાજ્યમાં 48 કરતા કરતા વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ નુકસાનીના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. હવામાન વિભાગે ગુરૂવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે.

મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર, મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો કડાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુરના ક્વાંટ, નર્મદાના નાંદોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે, મુંબઈ-ગોવા પર બનેલી સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે. 22 મી મે સુધીમાં લો-પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે. વાવાઝોડું 24થી 28 મે વચ્ચે ગુજરાત પહોંચી જશે. મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ ખાબકશે. ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે જ 100 કિમી પ્રતિકલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે છે. ડાંગ, આહવા, વલસાડમાં 10થી 12 ઈંચ વરસાદ થશે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ થશે.

Advertisment
Latest Stories