ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક લોકોને હાલાકી
SOU મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ બિસ્માર બન્યો
માર્ગ બિસ્માર બનતા લોકોને હાલાકી વેઠવાનો વારો
અનેક વાહનચાલકો રોંગ સાઈડ જવા મજબૂર બન્યા
માર્ગ-મકાન વિભાગ તાકીદે સમારકામ કરાવે તેવી માંગ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકથી પસાર થતોSOU મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ બિસ્માર બનતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકSOU સરદાર પ્રતિમાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે.
આ માર્ગ ઉપર મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. એક સાઇડ માર્ગ ઉપર મોટા ખાડા પડ્યા હોય, તેમજ ખાડામાં પાણી ભરાય જવાના કારણે વાહનચાલકો રોંગ સાઈડ પર વાહન હંકારવા મજબૂર બન્યા છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું તાકીદે સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.