ભરૂચ : ઝઘડિયાના પડવાણિયા-આમલઝર સ્ટેટ હાઇવેની બદતર હાલત

પડવાણિયાથી આમલઝરનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે. આ માર્ગ પરથી દૈનિક ટ્રકો પસાર થાય છે. છેલ્લા 5 વર્ષથી આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી.

પડવાણિયા-આમલઝર સ્ટેટ હાઇવે
New Update

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પડવાણિયાથી આમલઝરને જોડતો સ્ટેટ હાઇવે બદતર હાલતમાં આવી જતાં વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં સરદાર પ્રતિમા ધોરીમાર્ગ ઉપરાંત ઝઘડિયાથી રાજપારડીથી અને ઉમલ્લા મથકોથી કાંઠા વિસ્તાર તેમજ ડુંગર વિસ્તારને જોડતા તમામ સ્ટેટ હાઇવેપ્રધાનમંત્રી સડક યોજનાના રોડ ઉપરાંત ગામડાઓને જોડતા રોડ સમયસર સમારકામના અભાવે સદંતર ખરાબ હાલતમાં થઈ ગયા છે.

ઝઘડિયાના પડવાણિયાથી રાજપારડીનો માર્ગ અને મકાન વિભાગનો સ્ટેટ હાઇવે છેજે રસ્તો રાજપારડીથી આમલઝરપડવાણિયાધારોલી અને વાલીયા-નેત્રંગ તાલુકાના જોડતો રોડ છે. આ રોડનો ઉપયોગ સ્થાનિક 15થી 20 પંચાયતોના આશરે 40થી 60 ગામડાના લોકો અને રાજપારડીથી નેત્રંગ અને વાલીયા-સુરત જતા મુસાફરો ઉપયોગ કરે છે. આ સ્ટેટ હાઇવે અગાઉ બનાવવામાં આવ્યો હતો.

 તે પૈકી પડવાણિયાથી આમલઝરનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે. આ માર્ગ પરથી દૈનિક ટ્રકો પસાર થાય છે. છેલ્લા 5 વર્ષથી આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી. ચાલુ વર્ષે પણ વરસાદ સતત પડતા 5 કીમીનો સ્ટેટ હાઇવે સંપૂર્ણ તૂટી ગયો છે. પડવાણિયા આમલઝર વચ્ચે ઠેર ઠેર ખાડાઓ પડી જતા તેમાં વરસાદી પાણી ભરાવાના લીધે હજારો લોકો આ સ્ટેટ હાઈવે તૂટવાના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

સામાન્ય લોકોને પારાવાળ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સ્ટેટ હાઇવેને સારસા ડુંગરથી માલજીપુરા ગુંડેચા આમોદ આમલઝર ખોડા આંબા અને પડવાણિયા સુધી 6થી 7 કિલોમીટર સુધી વધારે તૂટી ગયેલ છે.

જેથી તેને તાત્કાલિક ધોરણે નવો રોડ બનાવવો જરૂરી બન્યો છે. હાલમાં મોટા ખાડાઓ પડી જવાના કારણે અવર-જવર કરવું મુશ્કેલ બન્યું છેત્યારે ચોમાસા દરમિયાન માર્ગ અને મકાન વિભાગ પડવાણિયાથી આમલઝર વચ્ચે હંગામી ધોરણે મેટલ પૂરીને માર્ગ અવરજવર કરવા જેવો થાય તે કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

#ઝઘડિયા #ભરૂચ #ભરૂચ સમાચાર
Here are a few more articles:
Read the Next Article