અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારમાંથી 2 દિવસમાં 15 રખડતા ઢોર પકડાયા, તંત્રની ઝુંબેશ યથાવત

રખડતા ઢોરના કારણે અકસ્માત સહિતના બનાવવામાં વધારો થયો હતો.આ અંગેની અનેક રજૂઆત નોટિફાઇડ એરીયા ઓથોરિટીને મળતા અંતે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં તંત્રની ઝુંબેશ

  • રસ્તે રખડતા ઢોર પકડવા કાર્યવાહી

  • બે દિવસમાં 15 ઢોર પકડાયા

  • ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી

  • ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા બે દિવસથી રખડતા ઢોર પકડવાની શરૂ કરવામાં આવી છે ત્યારે 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે અકસ્માત સહિતના બનાવવામાં વધારો થયો હતો.આ અંગેની અનેક રજૂઆત નોટિફાઇડ એરીયા ઓથોરિટીને મળતા અંતે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શરૂ કરાયેલ ઝુંબેશમાં છેલ્લા 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા હતા.
નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા અટલજી જોગર્સ પાર્ક, ગટટુ વિદ્યાલય સરદાર પાર્ક સહિતના વિસ્તારોમાંથી રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા.આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ રખડતા  ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે તો સાથે જ ઢોરના માલિકો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
Read the Next Article

ભરૂચ : ખાનગી બસમાં મુસાફરી કરતા યાત્રીનું શંકાસ્પદ મોત,બસ ચાલકે મારમારીને અડધે રસ્તે ત્યજી દીધો હોવાના પરિવારનો આક્ષેપ

પરિવારજનોએ બસ ચાલકે મુસાફર સાથે મારમારી કરીને અડધે રસ્તે ઉતારી દીધો હતો,અને જેના કારણે બેભાન અવસ્થામાં સારવાર હેઠળ ખસેડાયા બાદ મોત નીપજ્યું હોવાના આક્ષેપ કર્યા

New Update
  • ખાનગી બસના મુસાફરનું શંકાસ્પદ મોત

  • મુંબઈથી બસમાં રાજસ્થાન જઈ રહ્યા હતા

  • બસ ચાલક સામે પરિવારજનોએ કર્યા આક્ષેપ

  • યાત્રીને મારમારીને બેશુદ્ધ અવસ્થામાં ઉતારી દીધો

  • સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીપજ્યું મોત 

મુંબઈથી રાજસ્થાન ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરતા યાત્રીનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ મોત નીપજ્યું હતું,આ ઘટનામાં મૃતકના પરિવારજનોએ બસ ચાલકે મુસાફર સાથે મારમારી કરીને અડધે રસ્તે ઉતારી દીધો હતો,અને જેના કારણે બેભાન અવસ્થામાં સારવાર હેઠળ ખસેડાયા બાદ મોત નીપજ્યું હોવાના આક્ષેપ કર્યા હતા.

રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રહેવાસી મદનનાથ સરવનનાથ યોગીનું શંકાસ્પદ મૃત્યુ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. મદનનાથ યોગી ન્યૂ પટેલ ટ્રાવેલ્સની બસમાં મુંબઈથી રાજસ્થાન જતા હતાતે દરમિયાન બસના ડ્રાઈવર સાથે થયેલી માથાકૂટ બાદ તેમને બેભાન અવસ્થામાં અંકલેશ્વર રાજપીપળા ચોકડી પરના બ્રિજ પર છોડીને બસ ચાલક બસ લઈને ફરાર થઈ ગયો  હોવાનો આક્ષેપ તેમના પરિવારજનોએ કર્યો હતો.

ત્રણ દિવસ પહેલા મદનનાથ યોગી મુંબઈથી રાજસ્થાનના આમેઠ તરફ પાછા ફરતા હતાત્યારે બસના ડ્રાઈવર સાથે થયેલી ઉગ્ર વાદ-વિવાદ બાદ તેમના પર શારીરિક હુમલો થયો હોવાનું પરિવારે આક્ષેપ કર્યો હતો. આ ઘટના બાદ મદનનાથને અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક બ્રિજ પર બેશુદ્ધ અવસ્થામાં છોડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે રહેલા કોઈ રાહદારીએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ મારફતે મદનનાથને તાત્કાલિક ગડખોલની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબોની પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાજ્યાં તેમનું ત્રણ દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું.

પરિવારજનોના જણાવ્યા મુજબ,બસ ડ્રાઈવરે નબીપુર નજીક પ્રિન્સ હોટલ પાસે બસ છોડીને ફરાર થઈ ગયો હતો. જો હોટલ પર લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સમગ્ર ઘટનાની સત્યતા બહાર આવી શકે છે. ઘટનાના સમયે બસમાં મુસાફરી કરતા અન્ય પેસેન્જરો પણ પરેશાન થઈ ગયા હતા અને તેમને બીજી બસ દ્વારા તેમના નિશ્ચિત સુધી મોકલવામાં આવ્યા હતા.હાલમાં અંકલેશ્વરડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.