ભરૂચ : મક્કા-મદીનાથી ઉમરાહ કરી પરત ફરતા 16 પ્રજ્ઞાચક્ષુઓનું મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું...

બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરના આંખોની રોશની ગુમાવી ચૂકેલ એક યુવતી સહિત 16 પ્રજ્ઞાચક્ષુઓ મક્કા-મદીના ઉમરાહ કરી પરત ફરતા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

New Update
  • મુસ્લિમ બિરાદરો માટે મક્કા-મદીના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર

  • મુસ્લિમ સમાજમાં મક્કા-મદીનાના દિદારનું રહ્યું અનેરુ મહત્વ

  • પ્રજ્ઞાચક્ષુઓ માટે સામાજિક કાર્યકર દ્વારા કરાયું હતું આયોજન

  • બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરના 16 પ્રજ્ઞાચક્ષુઓને કરાવી યાત્રા

  • મક્કા-મદીના ઉમરાહ કરી પરત ફરતા પ્રજ્ઞાચક્ષુઓનું સ્વાગત

ભરૂચના બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરના આંખોની રોશની ગુમાવી ચૂકેલ એક યુવતી સહિત 16 પ્રજ્ઞાચક્ષુઓ મક્કા-મદીના ઉમરાહ કરી પરત ફરતા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાઉદી અરેબિયામાં આવેલ મક્કા-મદીના દરેક મુસ્લિમ બિરાદરો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છેત્યારે જીવનમાં એકવાર મક્કા-મદીના જવા તમામ મુસ્લિમ બિરાદરોની ઈચ્છા હોય છે. જેનો ખર્ચ કરવા સૌ સક્ષમ નથી હોતા. પરંતુ ભરૂચના  બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર છેજેમાં તમામ ધર્મના પ્રજ્ઞાચક્ષુ એટલે કેઆંખોની રોશની ગુમાવી ચૂકેલા લોકો અહી શિક્ષણ મેળવે છે.

મુસ્લિમ સમાજમાં મક્કા-મદીનાની જીયારત (દિદાર) કરવાનું અનેરુ મહત્વ રહેલુ છેત્યારે આ સંસ્થાના અંધજનો એક કાર્યક્રમમાં ગયા હતાઅને તે કાર્યક્રમમાં મહાનુભાવ તરીકે શાહિદ કુરેશી રિઝવાન સૈયદ અમીન શાહે તેમની લાગણી વ્યક્ત કરી કહ્યું કેતમારા માટે શું કરી શકુંત્યારે આ પ્રગ્યાંચક્ષુઓએ કહ્યું કેમુસ્લિમ સમાજમાં જન્મથી મૃત્યુ સુધીમાં મક્કા-મદીનાની જીયારત એટલે કેદીદાર કરવાની ઈચ્છા હોય છે. અમે દુનિયા તો નથી જોઈ શકતાપણ મક્કા-મદીના અલ્લાહનું ઘર છેત્યાં જઈ આભાસ કરી દીદાર તો કરી શકીશું.

જે બાદ મહાનુભાવએ આ અંધજનોની વેદના અને ઈચ્છા પૂરી કરવા માટે એક મહિલા સહિત 16 પ્રજ્ઞાચક્ષુઓની મક્કા-મદીના જવાની તમામ વ્યવસ્થા કરી તેઓની સાથે અન્યોને પણ સાર-સંભાળ માટે મોકલ્યા હતા. જેઓ સાઉદી અરબિયામાં મક્કા મદીના ખાતે જઈ ખુદાની અનુભૂતિનો અહેસાસ કરી અત્યંત ખુશી સાથે પરત ફરતા ભરૂચની બિલાલ પાર્ક સોસાયટી ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક કાર્યકર અબ્દુલ કામઠીપાલિકા સભ્ય સલીમ અમદાવાદીદાતા શઈદભાઈ સહિત અન્ય રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.