ભરૂચ : મક્કા-મદીનાથી ઉમરાહ કરી પરત ફરતા 16 પ્રજ્ઞાચક્ષુઓનું મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું...

બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરના આંખોની રોશની ગુમાવી ચૂકેલ એક યુવતી સહિત 16 પ્રજ્ઞાચક્ષુઓ મક્કા-મદીના ઉમરાહ કરી પરત ફરતા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

New Update
  • મુસ્લિમ બિરાદરો માટે મક્કા-મદીના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર

  • મુસ્લિમ સમાજમાં મક્કા-મદીનાના દિદારનું રહ્યું અનેરુ મહત્વ

  • પ્રજ્ઞાચક્ષુઓ માટે સામાજિક કાર્યકર દ્વારા કરાયું હતું આયોજન

  • બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરના 16 પ્રજ્ઞાચક્ષુઓને કરાવી યાત્રા

  • મક્કા-મદીના ઉમરાહ કરી પરત ફરતા પ્રજ્ઞાચક્ષુઓનું સ્વાગત 

Advertisment W3.CSS

ભરૂચના બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરના આંખોની રોશની ગુમાવી ચૂકેલ એક યુવતી સહિત 16 પ્રજ્ઞાચક્ષુઓ મક્કા-મદીના ઉમરાહ કરી પરત ફરતા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાઉદી અરેબિયામાં આવેલ મક્કા-મદીના દરેક મુસ્લિમ બિરાદરો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છેત્યારે જીવનમાં એકવાર મક્કા-મદીના જવા તમામ મુસ્લિમ બિરાદરોની ઈચ્છા હોય છે. જેનો ખર્ચ કરવા સૌ સક્ષમ નથી હોતા. પરંતુ ભરૂચના  બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર છેજેમાં તમામ ધર્મના પ્રજ્ઞાચક્ષુ એટલે કેઆંખોની રોશની ગુમાવી ચૂકેલા લોકો અહી શિક્ષણ મેળવે છે.

મુસ્લિમ સમાજમાં મક્કા-મદીનાની જીયારત (દિદાર) કરવાનું અનેરુ મહત્વ રહેલુ છેત્યારે આ સંસ્થાના અંધજનો એક કાર્યક્રમમાં ગયા હતાઅને તે કાર્યક્રમમાં મહાનુભાવ તરીકે શાહિદ કુરેશી રિઝવાન સૈયદ અમીન શાહે તેમની લાગણી વ્યક્ત કરી કહ્યું કેતમારા માટે શું કરી શકુંત્યારે આ પ્રગ્યાંચક્ષુઓએ કહ્યું કેમુસ્લિમ સમાજમાં જન્મથી મૃત્યુ સુધીમાં મક્કા-મદીનાની જીયારત એટલે કેદીદાર કરવાની ઈચ્છા હોય છે. અમે દુનિયા તો નથી જોઈ શકતાપણ મક્કા-મદીના અલ્લાહનું ઘર છેત્યાં જઈ આભાસ કરી દીદાર તો કરી શકીશું.

જે બાદ મહાનુભાવએ આ અંધજનોની વેદના અને ઈચ્છા પૂરી કરવા માટે એક મહિલા સહિત 16 પ્રજ્ઞાચક્ષુઓની મક્કા-મદીના જવાની તમામ વ્યવસ્થા કરી તેઓની સાથે અન્યોને પણ સાર-સંભાળ માટે મોકલ્યા હતા. જેઓ સાઉદી અરબિયામાં મક્કા મદીના ખાતે જઈ ખુદાની અનુભૂતિનો અહેસાસ કરી અત્યંત ખુશી સાથે પરત ફરતા ભરૂચની બિલાલ પાર્ક સોસાયટી ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક કાર્યકર અબ્દુલ કામઠીપાલિકા સભ્ય સલીમ અમદાવાદીદાતા શઈદભાઈ સહિત અન્ય રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: NH 48 પર વરેડિયા ચોકડી નજીક રસ્તો ઓળંગતા જૈન સાધ્વીને ટેમ્પાએ મારી ટક્કર, સેવિકાનું મોત, સાધ્વીજી ઇજાગ્રસ્ત

સેવિકાના માથા પરથી આઇસર ટેમ્પાનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત સાધ્વીજીને સારવાર અર્થે 108 માં ભરૂચ સિવિલમાં ખસેડાયા

New Update
Palej Police
રાજસ્થાનના પાલીથી જૈન સાધ્વીજી મધુ સુધાજી વિહાર માટે નીકળ્યા હતા. આજે મળસ્કે તેઓ ભરૂચ હાઇવે પર વરેડિયા સુંદર વિહાર ધામથી નીકળી અસુરીયા જૈન વિહાર ધામે જઈ રહ્યાં હતાં. તેઓ સાથે અર્ટિગાના લઈ ડ્રાઈવર વિહારમાં સાથે હતા. વરેડિયા ચોકડી વ્હિલચેરમાં સાધ્વીજીને ક્રોસ કરાવી સેવિકા ગજરા બેન મેઘવાલ પાલેજ - ભરૂચની લેન તરફ જઈ રહ્યા હતા. ત્યારે ત્રીજી લેનમાં આવેલા આઇસર ટેમ્પા ચાલકે વ્હીલચેરને અડફેટે લઈ ફંગોળી દીધી હતી.
Advertisment W3.CSS
જેમાં સાધ્વી મહારાજજી અને સેવિકા રસ્તા પર પટકાયા હતા. સેવિકાના માથા પરથી ટેમ્પાનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત સાધ્વીજીને 108 માં ભરૂચ સિવિલમાં ખસેડાયા હતા. પાલેજ પોલીસ મથકે ટેમ્પા ચાલક અચ્છેલાલ યાદવ સામે ગુનો દાખલ કરાયો હતો.