અંકલેશ્વર: હાઇવે પર યુટર્ન લઈ રહેલ ટેમ્પો સાથે બાઈક ભટકાતા 2ના મોત

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સવાર બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા હતા

New Update

અંકલેશ્વર નજીક સર્જાયો અકસ્માત

હાઇવે પર રાજપીપળા ચોકડી નજીક અકસ્માત સર્જાયો

ત્રણ વાહનો વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત

ટેમ્પા સાથે બાઈક અને ટ્રક ભટકાય

બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સવાર બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા હતા
અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાસેના યુ ટર્ન પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટે ખસેડી તપાસ શરૂ કરી હતી.અકસ્માતમાં અંદાડા ગામના યોગેશ્વર નગરમાં રહેતા રતિલાલ વસાવા અને કૃષ્ણનગરમાં રહેતા દિનેશ પટેલનું મોત નિપજ્યું હતું.યુ ટર્ન પાસે ટેમ્પા ચાલકે ટર્ન લેવા જતા અકસ્માત સર્જાયો હતો.
નેશનલ હાઈવે પર સજાયેલા અકસ્માતના પગલે મોટા વાહનો શહેર તરફ વળતા અંકલેશ્વરની પ્રતિન ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા. તો આ તરફ નેશનલ હાઇવે પર પણ ટ્રાફિકજામના જોવા મળ્યા હતા
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.