અંકલેશ્વર : હરિપ્રબોધમ્ યુવા મહોત્સવ અંતર્ગત થેલેસેમિયાગ્રસ્ત બાળકોના સેવાર્થે રક્તદાન શિબિર યોજાય...

હરિપ્રબોધમ્ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સત્સંગના 12 કેન્દ્રો પર યોજાયેલ મહા રક્તદાન શિબિર અંતર્ગત 5 હજાર યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું......

New Update
  • આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધમ્ યુવા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું

  • હરિપ્રબોધમ્ યુવા મહોત્સવ અંતર્ગત મહા રક્તદાન શિબિર યોજાય

  • થેલેસેમિયાગ્રસ્ત બાળકોના સેવાર્થે વિશાળ રક્તદાન શિબિર યોજાય

  • ગુજરાત સત્સંગના 12 કેન્દ્રો પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

  • મહા રક્તદાન શિબિરમાં 5 હજાર યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું

 ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધમ્ યુવા મહોત્સવના ઉપક્રમે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના સેવાર્થે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરિપ્રબોધમ્ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સત્સંગના 12 કેન્દ્રો પર યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ અંતર્ગત 5 હજાર યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.

ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજી મહારાજના 91માં પ્રાગટ્ય દિન અને પ્રગટ ગુરુહરિ પ્રબોધસ્વામીજીના 72માં પ્રાગટ્ય દિન નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધમ્ યુવા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છેત્યારે શનિવાર અને રવિવારના રોજ 2 દિવસ માટે બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં શનિવારના રોજ ગુજરાત સત્સંગના અલગ અલગ 12 કેન્દ્રો પર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. થેલેસેમિયાગ્રસ્ત બાળકોના સેવાર્થે રક્તદાન શિબિર દરમ્યાન 5 હજાર યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.

આ સાથે જ ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજીની તનમનધન અને આત્માથી સુખી થવા માટે સંત અને સત્સંગની ઓક્સીજન સમાન અનિવાર્યતાની ભાવનાને કેન્દ્રમાં રાખીને આયોજિત આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધમ્ યુવા મહોત્સવમાં ઉપસ્થિત દોઢ લાખથી વધુના યુવા મહેરામણને સંતોના માર્ગદર્શન અને યુવાનોના અનુભવોના માધ્યમથી સંસ્કારી અને ભક્તિપૂર્ણ જીવન જીવવાની સાચી દિશા અંગે માર્ગદર્શન આપવામાં આવનાર છેત્યારે ખૂબ જ સુંદર આયોજન અને વ્યવસ્થાના ફળસ્વરૂપે બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.

Read the Next Article

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નજીકથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, રૂ.39 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક

New Update
css bh
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર રીલીફ હોટલ નજીક ટેન્કર નંબર GJ 12 AZ 1612 માંથી ત્રણ ઇસમો ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના કારબામાં કંઇક પ્રવાહી કાઢી પીકઅપ ડાલામાં મુકે છે જે આધારે પોલીસે દરોડા પાડતા 3 આરોપીઓ કેમિકલની ચોરી કરતા રંગેહાથ ઝડપાય ગયા હતા. આરોપીઓ હજીરા અદાણી પોર્ટમાંથી સ્ટાયરીન (SM) કેમીકલ ભરી વડોદરા નંદેસરી જી.આઈ.ડી.સી.માં ખાલી કરવાં જતું હતું અને ડ્રાઈવર દ્વારા નંદેસરી પહોંચે તે પહેલા કેમીકલ માફીયાઓનો સંપર્ક કરી ટેન્કરનું સીલ તોડી, કેમિકલ ચોરી પ્લાસ્ટીકના કારબાઓ ભરી એક કારબો ૧૫૦૦/- માં વહેંચતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે  તુલસારામ જસારામ જાટ ઉ.વ.૪૫ રહેવાસી, ધને કી ધાની ગામ તા & થાના સીન્ધરી જિ.બલોતરા (રાજસ્થાન) (ટેન્કર ડ્રાઈવર), સત્તાર ઉર્ફે સમીર મલંગશા દિવાન ઉ.વ.૩૪ હાલ રહે.પાલેજ સાલેહ પાર્ક પ્લોટ નં.૧૨૨/૧૨૩ મહેરબાન ગુલામભાઇના મકાનમાં ભાડેથી તા.જિ.ભરૂચ મૂળ રહેવાસી.ઘર નં.૦૭ રાજાવાડી સૈયદપુરા સુરત શહેર, વસીમ સીરાજ દીવાન ઉ.વ.૧૯ રહેવાસી. માલપુર ગામ પટેલ ફળીયુ તા.શીનોર જિ.વડોદરાની ધરપકડ કરી રૂ.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.