અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં વર્ગ પ્રવૃત્તિ અંતર્ગત તમિલનાડુ વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
વિવિધતામાં એકતાએ ભારતની અસ્મિતા છે. ભારતની સંસ્કૃતિ દરેક પ્રાંતમાં જુદી જુદી જોવા મળે છે ત્યારે અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં ધોરણ 6ની વર્ગ પ્રવૃત્તિનું તમિલનાડુ વિષય પર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ નાટક અને નૃત્યો દ્વારા દક્ષિણ ભારતની ઝલક બતાવવામાં આવી હતી. ધોરણ 6ના વર્ગ શિક્ષકો આશાબેન ,હીનાબેન તથા ડાન્સ ટીચર મનશ્રી બેને કેમ્પસ ડાયરેક્ટર સુધાબેન તથા આચાર્ય દીપ્તિબેનના માર્ગદર્શન હેઠળ ખૂબ સારી રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.