અંકલેશ્વર: જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત કેન્સર સેન્ટરને રૂ.1.25 કરોડનું અપાયું અનુદાન !

શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના જે. બી મોદી કેન્સર સેન્ટરને જે. બી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ દ્વારા 1.25 કરોડનું અનુદાન આપવામાં આવ્યું

New Update

અંકલેશ્વરના જે.બી.મોદી કેન્સર સેન્ટરને મળ્યું અનુદાન

રૂપિયા 1.25 કરોડનું અનુદાન આપવામાં આવ્યું

જે.બી.કેમિકલ્સે આપ્યુ અનુદાન 

6d કાઉચની ટેકનોલોજી દ્વારા થશે કેન્સરની સારવાર

આમંત્રિતો અને હોસ્પિટલનો સ્ટાફ રહ્યો ઉપસ્થિત

અંકલેશ્વરની જે. બી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ દ્વારા જે. બી મોદી કેન્સર સેન્ટરને 1.25  કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે.અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના જે. બી મોદી કેન્સર સેન્ટરને જે. બી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ દ્વારા 1.25 કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે, જે અનુદાનથી દર્દીઓની વધુ સારી સારવાર માટે 6D કાઉચ લેવામાં આવ્યું છે.
આ અનુદાન જે.બી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલસના સી.ઈ.ઓ અને એ.આઈ.ડી. એસના ટ્રસ્ટી નિખિલ ચોપરાના હસ્તે  આપવામાં આવ્યું છે.જે.બી. ફાર્મા દ્વારા સંસ્થાની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ અને એ.આઈ.ડી.એસ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું પણ અમલીકરણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી, બી.જી.પી હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર જયેશ પટેલ, જે.બી. મોદી કેન્સર સેન્ટરના ડો.તેજસ પંડ્યા  અને હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.આત્મી ડેલિવાલા ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.