અંકલેશ્વર શ્રી યુવામિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ સાથે સેવાકીય કાર્યનો સ્તુત્ય પ્રયાસ

અંકલેશ્વર જીઆઇડીસીની સરદાર પટેલ સમાજની વાડી ખાતે શ્રી યુવામિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

New Update

અંકલેશ્વર જીઆઇડીસીની સરદાર પટેલ સમાજની વાડી ખાતે શ્રી યુવામિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. અને યુવામિત્ર મંડળ દ્વારા યોજાતો નવરાત્રી મહોત્સવ માત્ર ગરબા પુરતો જ મર્યાદિત ન રહીને સેવાનાં યજ્ઞ સમાન બની ગયો છે.આ પ્રસંગે કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા વિશેષ મુલાકાત કરવામાં આવી હતી.

નવરાત્રી "માઁ અંબા"ની આરાધના અને ગરબે રમવાનો ઉત્સવ.નવ દિવસનાં આ મહોત્સવ માત્ર ધાર્મિકતા પુરતો જ  સીમિત નથી રહ્યો પરંતુ ગરબા આયોજકો દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકાય તેવો સ્તુત્ય પ્રયાસ કરીને સેવાકીય ધર્મ નિભાવી રહ્યા છે.અંકલેશ્વર જીઆઇડીસીની સરદાર પટેલ સમાજની વાડી ખાતે શ્રી યુવામિત્ર મંડળ દ્વારા સતત નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.અને યુવામિત્ર મંડળ દ્વારા યોજાતો નવરાત્રી મહોત્સવ માત્ર ગરબા પુરતો જ માર્યાદિત ન રહીને સેવાનાં યજ્ઞ સમાન બની ગયો છે.

શ્રી યુવામિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવમાં દેહદાન,નેત્રદાન,રક્તદાન ,ગૌસેવા સહિતનાં સેવાકીય કાર્ય માટે લોકજાગૃતાના પ્રયાસો કરવામાં આવ્યા છે,અને યુવામિત્ર મંડળ નવરાત્રી મહોત્સવની મુલાકાત અર્થે આવતા ગરબા રસિકો પણ આયોજકોની કામગીરીને બિરદાવે છે.ત્યારે આ પ્રસંગે કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા એક યાદગાર મુલાકાત કરીને આયોજકો સાથે વાતચીત કરી હતી.

શ્રી યુવામિત્ર મંડળ નવરાત્રી મહોત્સવમાં ગરબે રમવા આવતા ખેલૈયાઓ પણ આયોજકોના પ્રયાસોને બિરદાવી રહ્યા છે,અને ગરબા રસિકો માટે સુરક્ષિત ગરબા માટેનું આ એક ઉત્તમ સ્થળ છે.તેમજ મહિલા હોય કે નાની દીકરી તમામ માટે શ્રી યુવામિત્ર મંડળની નવરાત્રી મહોત્સવ સુરક્ષિત અને ચિંતા રહિત હોવાનું ખેલૈયાઓ જણાવી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.