New Update
-
ભરૂચ દહેજ રોડ પર અકસ્માત
-
મનુબર ચોકડી નજીક અકસ્માત સર્જાયો
-
ખાનગી લકઝરી બસ પલટી ગઈ
-
બસમાં સવાર 5થી6 મુસાફરોને ઇજા
-
બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચ રોડ પર મનુબર ચોકડી નજીક દહેજ કંપનીમાં કર્મચારીઓને લઈ જતી ખાનગી બસ પલટી જતા મચી જતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચથી દહેજને જોડતા માર્ગ પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ભરૂચ દહેજ રોડ પર મનુબર ચોકડી નજીક દહેજની કંપનીમાં કર્મચારીઓને લઈ જતી ખાનગી લક્ઝરી બસ અચાનક જ પલટી ગઈ હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી અકસ્માતમાં પાંચ થી છ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. આ અંગેની જાણ થતા જ બી ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી બીજી તરફ અકસ્માતના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને કર્મચારીઓને બસની બહાર કાઢ્યા હતા. ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
અકસ્માતના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું.આ બસ દહેજની ગોદરેજ કંપનીમાં જઈ રહી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.