ભરૂચ દહેજ રોડ પર ખાનગી લકઝરી બસ પલટી જતા દોડધામ, ખાનગી કંપનીના કર્મચારીઓને ઇજા !

ભરૂચ રોડ પર મનુબર ચોકડી નજીક દહેજ કંપનીમાં કર્મચારીઓને લઈ જતી ખાનગી બસ પલટી જતા મચી જતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
  • ભરૂચ દહેજ રોડ પર અકસ્માત

  • મનુબર ચોકડી નજીક અકસ્માત સર્જાયો

  • ખાનગી લકઝરી બસ પલટી ગઈ

  • બસમાં સવાર 5થી6 મુસાફરોને ઇજા

  • બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ રોડ પર મનુબર ચોકડી નજીક દહેજ કંપનીમાં કર્મચારીઓને લઈ જતી ખાનગી બસ પલટી જતા મચી જતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચથી દહેજને જોડતા માર્ગ પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ભરૂચ દહેજ રોડ પર મનુબર ચોકડી નજીક દહેજની કંપનીમાં કર્મચારીઓને લઈ જતી ખાનગી લક્ઝરી બસ અચાનક જ પલટી ગઈ હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી અકસ્માતમાં પાંચ થી છ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. આ અંગેની જાણ થતા જ બી ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી બીજી તરફ અકસ્માતના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને કર્મચારીઓને બસની બહાર કાઢ્યા હતા. ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
અકસ્માતના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું.આ બસ દહેજની ગોદરેજ કંપનીમાં જઈ રહી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
Read the Next Article

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
      
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..