અંકલેશ્વર: ઉમરવાડા ગામે ટીટોડીએ ખેતરમાં 4 ઈંડા મૂક્યા, આ વર્ષે વરસાદ સારો રહેવાનો વર્તારો

ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુક્યા હતા.ખેડૂતો ટીટોડી પક્ષી જેટલા ઇંડા મૂકે તેટલા મહિના સુધી વરસાદ સારો જશે તેવી માન્યતા ધરાવતા આવ્યા છે

New Update
  • અંકલેશ્વરના ઉમરવાડા ગામનો બનાવ

  • ટીટોડી પક્ષીએ મુક્યા ઈંડા

  • ખેતરમાં 4 ઈંડા મુક્યા

  • 4 મહિના વરસાદ સારો રહેવાની આગાહી

  • ઊંચાઈ પર ઈંડા મૂકે તો ચોમાસુ વધુ સારું રહેવાનો વર્તારો

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુકતા આગામી ચોમાસુ સારું રહેવાનો ખેડૂતો વર્તારો લગાવી રહ્યા છે ટીટોડી ઈંડા મુકે છે તેના આધારે આગામી ચોમાસુ કેવુ રહેશે તેના એંધાણના વર્તારા ખેડૂતો મુકતા હોય છે.
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુક્યા હતા.ખેડૂતો ટીટોડી પક્ષી જેટલા ઇંડા મૂકે તેટલા મહિના સુધી વરસાદ સારો જશે તેવી માન્યતા ધરાવતા આવ્યા છે. સામાન્ય રીતે ગુજરાતમાં ટીટોડી નામનુ પક્ષી ક્યાં ઈંડા મુકે છે, કેટલા ઈંડા મુકે છે, કઈ જગ્યાએ ઈંડા મુકે છે તેના આધારે આગામી ચોમાસુ કેવુ રહેશે તેના એંધાણના વર્તારા ખેડૂતો મુકતા હોય છે.
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેડૂતના ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુક્યા હતા. ટીટોડી ખેતર કે ખુલ્લા મેદાનમાં ઈંડા મુકે તે સંદર્ભે એવી લોકવાયકા છે કે આગામી ચોમાસુ સામાન્ય રહેશે. ટીટોડી ઉંચી જગ્યા પર ઈંડા મુકે એ ચોમાસું સારું જવાના એંધાણ ગણાય છે.ખુલ્લી જગ્યામાં ટીટોડીએ ચાર જેટલા ઈંડા મુકતા લોકો એવો અંદાજ લગાડે છે કે આ વર્ષે ચાર મહિના વરસાદ પડશે જોકે આ એક માન્યતા છે. 
Read the Next Article

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નજીકથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, રૂ.39 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક

New Update
css bh
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર રીલીફ હોટલ નજીક ટેન્કર નંબર GJ 12 AZ 1612 માંથી ત્રણ ઇસમો ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના કારબામાં કંઇક પ્રવાહી કાઢી પીકઅપ ડાલામાં મુકે છે જે આધારે પોલીસે દરોડા પાડતા 3 આરોપીઓ કેમિકલની ચોરી કરતા રંગેહાથ ઝડપાય ગયા હતા. આરોપીઓ હજીરા અદાણી પોર્ટમાંથી સ્ટાયરીન (SM) કેમીકલ ભરી વડોદરા નંદેસરી જી.આઈ.ડી.સી.માં ખાલી કરવાં જતું હતું અને ડ્રાઈવર દ્વારા નંદેસરી પહોંચે તે પહેલા કેમીકલ માફીયાઓનો સંપર્ક કરી ટેન્કરનું સીલ તોડી, કેમિકલ ચોરી પ્લાસ્ટીકના કારબાઓ ભરી એક કારબો ૧૫૦૦/- માં વહેંચતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે  તુલસારામ જસારામ જાટ ઉ.વ.૪૫ રહેવાસી, ધને કી ધાની ગામ તા & થાના સીન્ધરી જિ.બલોતરા (રાજસ્થાન) (ટેન્કર ડ્રાઈવર), સત્તાર ઉર્ફે સમીર મલંગશા દિવાન ઉ.વ.૩૪ હાલ રહે.પાલેજ સાલેહ પાર્ક પ્લોટ નં.૧૨૨/૧૨૩ મહેરબાન ગુલામભાઇના મકાનમાં ભાડેથી તા.જિ.ભરૂચ મૂળ રહેવાસી.ઘર નં.૦૭ રાજાવાડી સૈયદપુરા સુરત શહેર, વસીમ સીરાજ દીવાન ઉ.વ.૧૯ રહેવાસી. માલપુર ગામ પટેલ ફળીયુ તા.શીનોર જિ.વડોદરાની ધરપકડ કરી રૂ.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.