અંકલેશ્વર: ઉમરવાડા ગામે ટીટોડીએ ખેતરમાં 4 ઈંડા મૂક્યા, આ વર્ષે વરસાદ સારો રહેવાનો વર્તારો

ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુક્યા હતા.ખેડૂતો ટીટોડી પક્ષી જેટલા ઇંડા મૂકે તેટલા મહિના સુધી વરસાદ સારો જશે તેવી માન્યતા ધરાવતા આવ્યા છે

New Update
  • અંકલેશ્વરના ઉમરવાડા ગામનો બનાવ

  • ટીટોડી પક્ષીએ મુક્યા ઈંડા

  • ખેતરમાં 4 ઈંડા મુક્યા

  • 4 મહિના વરસાદ સારો રહેવાની આગાહી

  • ઊંચાઈ પર ઈંડા મૂકે તો ચોમાસુ વધુ સારું રહેવાનો વર્તારો

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુકતા આગામી ચોમાસુ સારું રહેવાનો ખેડૂતો વર્તારો લગાવી રહ્યા છે ટીટોડી ઈંડા મુકે છે તેના આધારે આગામી ચોમાસુ કેવુ રહેશે તેના એંધાણના વર્તારા ખેડૂતો મુકતા હોય છે.
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુક્યા હતા.ખેડૂતો ટીટોડી પક્ષી જેટલા ઇંડા મૂકે તેટલા મહિના સુધી વરસાદ સારો જશે તેવી માન્યતા ધરાવતા આવ્યા છે. સામાન્ય રીતે ગુજરાતમાં ટીટોડી નામનુ પક્ષી ક્યાં ઈંડા મુકે છે, કેટલા ઈંડા મુકે છે, કઈ જગ્યાએ ઈંડા મુકે છે તેના આધારે આગામી ચોમાસુ કેવુ રહેશે તેના એંધાણના વર્તારા ખેડૂતો મુકતા હોય છે.
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેડૂતના ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુક્યા હતા. ટીટોડી ખેતર કે ખુલ્લા મેદાનમાં ઈંડા મુકે તે સંદર્ભે એવી લોકવાયકા છે કે આગામી ચોમાસુ સામાન્ય રહેશે. ટીટોડી ઉંચી જગ્યા પર ઈંડા મુકે એ ચોમાસું સારું જવાના એંધાણ ગણાય છે.ખુલ્લી જગ્યામાં ટીટોડીએ ચાર જેટલા ઈંડા મુકતા લોકો એવો અંદાજ લગાડે છે કે આ વર્ષે ચાર મહિના વરસાદ પડશે જોકે આ એક માન્યતા છે. 
Read the Next Article

ભરૂચ: મલયાલી વેલફેર એસો.દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, રક્તદાતાઓએ લીધો ઉત્સાહભેર ભાગ

ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન

  • મલયાલી વેલફેર એસો.દ્વારા આયોજન

  • રક્તદાન શિબિર યોજાય

  • રજતદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

  • યુનિટી બ્લડ બેંકનો સહયોગ સાંપડ્યો

ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
ભરૂચ મલયાલી વેલ્ફેર એસોસિએશન તથા યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે જી.એન.એફ.સી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન શિબિરનો ઉદ્દેશ જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા દર્દીઓને કટોકટીના સમયે સમયસર રક્ત ઉપલબ્ધ કરાવી શકાય તેવો હતો.શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું.આ શિબિરની સફળતામાં મલયાલી વેલ્ફેર એસોસિએશનના સભ્યો તથા યુનિટી બ્લડ સેન્ટરના તબીબી સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. કાર્યક્રમ અંતે સંસ્થાઓ તરફથી રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી તેમનો વ્યક્ત આવ્યો હતો.