ભરૂચ: MLA ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી દેવાયા હોવાનો AAPનો આક્ષેપ, કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે ATVT ની બેઠકમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાનો પ્રયાસ, ધમકી અને મહિલા સાથે ગેરવર્તણુકનો ગુનો નોંધી ધરપકડ કરાઈ છે

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • આમ આદમી પાર્ટી દ્વારા કરાય રજુઆત

  • ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી દેવાયા હોવાના આક્ષેપ

  • ચૈતર વસાવા સામેનો કેસ પાછો ખેંચવાની માંગ કરાય

  • માંગ ન સંતોષાય તો જલદ આંદોલનની ચીમકી

દેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી ધરપકડ કરાઈ હોવાના આક્ષેપ સાથે ભરૂચ આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. નર્મદા જિલ્લાના દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે ATVT ની બેઠકમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાનો પ્રયાસ, ધમકી અને મહિલા સાથે ગેરવર્તણુકનો ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી.
ચૈતર વસાવાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજમાં પોલીસ અને તંત્ર સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો.ખોટો કેસ કરી કરાયેલી ધરપકડના વિરોધમાં મંગળવારે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રેલી કાઢી રજુઆત કરાઈ હતી. આપ આગેવાનો, કાર્યકરો અને આદિવાસી સમાજના લોકોએ હાથમાં આઈ સપોટ ચૈતર વસાવાના બેનર સાથે ભરૂચ કલેકટર કચેરી સુધી રેલી કાઢી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધતુ આવેદન પત્ર કલેકટરને પાઠવું હતું.
જેમાં આક્ષેપ કરાયો હતો કે, સત્તાના બળે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી ખોટો કેસ પરત ખેંચવો અને જવાબદારો સામે કાર્યવાહી થાય.
વધુમાં આપ આગેવાનોએ ચૈતર વસાવા 2500 કરોડના મનરેગા કૌભાંડને બહાર લાવ્યા હોય. અને વધુ એક કૌભાંડ ઉજાગર કરવાના હોવાથી તેઓને દબાવવા આ ખોટો કેસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. જો ચૈતર વસાવા સામે કરાયેલ ખોટો કેસ પાછો નહિ ખેંચાઈ તો જલદ આંદોલનની પણ ચીમકી અપાઈ છે. 
Read the Next Article

ભરૂચ: વાલિયા પોલીસ મથક ખાતે SP મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇસ્પેકશન અને પોલીસ દરબાર યોજાયો

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાલિયા પોલીસ મથક ખાતે વાર્ષિક પોલીસ ઇસ્પેકશન અને લોક દરબાર યોજાયો હતો.જેમાં પોલીસ વડાએ ઇસ્પેકશન કર્યું

New Update
  • ભરૂચના વાલિયા પોલીસ મથક ખાતે આયોજન

  • વાર્ષિક ઇન્સ્પેકશનનું આયોજન

  • લોક દરબાર પણ યોજાયો

  • SP મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત

ભરૂચના વાલિયા પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાર્ષિક પોલીસ ઇસ્પેકશન અને પોલીસ દરબાર યોજાયો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાલિયા પોલીસ મથક ખાતે આજરોજ વાર્ષિક પોલીસ ઇસ્પેકશન અને લોક દરબાર યોજાયો હતો.જેમાં પોલીસ વડાએ ઇસ્પેકશન કર્યું હતું.અને પોલીસ દરબારમાં પોલીસ જવાનોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ કરવાની ખાતરી આપી હતી.
આ વાર્ષિક પોલીસ ઇસ્પેકશન અને પોલીસ દરબારમાં ઝઘડિયા જી.આઈ.ડી.સી પોલીસ મથકના પી.આઈ. પી.કે.રાઠોડ,ઝઘડિયા પોલીસ મથકના પી.આઈ. એન.આર.ચૌધરી,રાજપારડી પોલીસ મથકના પી.આઈ. એચ.બી.ગોહિલ  તેમજ વાલિયા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમર અને ઉમલ્લા પોલીસ મથકના પી.આઈ.  કે.એમ.વાઘેલા  સહિત પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.