અંકલેશ્વર: ઉમરવાડા રોડ પર થયેલ હત્યાના ગુનામાં 5 મહિનાથી ફરાર આરોપીની દિલ્હીથી એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

પીરામણ ગામની સીમમાં ઉમરવાડા રોડ પર થયેલ મર્ડરના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને દિલ્હીના બુરારી વિસ્તારમાંથી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

New Update
Umarwada Road Murder Case
Advertisment
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે પીરામણ ગામની સીમમાં ઉમરવાડા રોડ પર થયેલ મર્ડરના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને દિલ્હીના બુરારી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
Advertisment
ગત તા.૨૨-૮-૨૪ના રોજ પીરામણ ગામની સીમમાં ઉમરપાડા રોડ પર આવેલ માહ્યાવંશી સમાજના સ્મશાન પાસે રેલવે ટ્રેક નજીકથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવી હતી જે મૃતક યુવાન મહારાષ્ટ્રનો પંજક સૂપડું ભારંભે તરીકે ઓળખ થઇ હતી.આ બનાવ અંગે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી અગાઉ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
જયારે આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી આજદિન સુધી પોતાની ઓળખ છુપાવી નાસતો ફરતો હતો.જે મધ્યપ્રદેશ અને દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ નોકરી કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દિલ્હીના બુરારી વિસ્તારમાંથી યોગેન્દ્ર રામભરોસે મોહનલાલ નાગરને ઝડપી પાડી તેની વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories