ભરૂચ-અંકલેશ્વરમાં 5 દિવસના સ્થાપન બાદ શ્રીજીને ભાવભરી વિદાય

ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ તથા અંકલેશ્વર શહેરમાં 5 દિવસના સ્થાપન બાદ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જ્યા અત્યંત ધાર્મિક વાતાવરણમાં શ્રીજીને ભક્તોએ ભારે હૈયે વિદાય આપી

New Update
ભરૂચ અને અંકલેશ્વરમાં ગણેશજીનું વિસર્જન કરાયું
5 દિવસના સ્થાપન બાદ શ્રીજીને ભાવભરી વિદાય
શહેરના વિવિધ જળકુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન
ધાર્મિક વાતાવરણમાં શ્રીજીને ભારે હૈયે વિદાય અપાય
ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે વારાવરણ ગુંજ્યું
ભરૂચ તથા અંકલેશ્વર શહેરમાં 5 દિવસના સ્થાપન બાદ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જ્યા અત્યંત ધાર્મિક વાતાવરણમાં શ્રીજીને ભક્તોએ ભારે હૈયે વિદાય આપી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રીજીની નાની-મોટી પ્રતિમાઓની ઢોલ-નગારાના તાલે શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી.
ભરૂચ તથા અંકલેશ્વર શહેરમાં તંત્ર દ્વારા નિર્માણ કરવામાં આવેલા કુત્રિમ જળકુંડમાં ગણેશજીની પ્રતિમાઓનું શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ વિધિ વિધાન સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. શ્રીજીના વિસર્જન વેળા "ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ"ના ગગનભેદી નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.