ભરૂચ : જંબુસર પાલિકાના વોર્ડ નં. 1ની પેટા ચૂંટણીમાં આક્ષેપ-પ્રતિ આક્ષેપો વચ્ચે ભાજપ-કોંગ્રેસે કર્યો પોતાની જીતનો દાવો...

રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તો  બીજી તરફ, ભરૂચ જિલ્લામાં પણ 3 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.

New Update
  • ભરૂચ જિલ્લાની 3 બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાશે

  • જિ.પંતા.પં. અને ન.પા.ની 1-1 બેઠકનો સમાવેશ

  • જિ.પંની આછોદતા.પં.ની પંડવાઈ બેઠકની ચૂંટણી

  • જંબુસર પાલિકાની એક બેઠક ઉપર ચૂંટણી યોજાશે

  • ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર સાબદું બન્યું

ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકાના વોર્ડ નં. 1 માટે પેટા ચૂંટણી હાથ ધરવામાં આવનાર છે. જેમાં આક્ષેપ અને પ્રતિ આક્ષેપો સાથે કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષ દ્વારા પોતાની જીતનો પ્રબળ દાવો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તો  બીજી તરફભરૂચ જિલ્લામાં પણ 3 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.

જેમાં ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠકહાંસોટ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક અને જંબુસર નગર સેવા સદનની એક બેઠક પર ચૂંટણી યોજાશે. જંબુસર નગરપાલિકાના વોર્ડ નં. 1ના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલા મૃત્યુ પામતા પેટા ચૂંટણી હાથ ધરવામાં આવનાર છે. જેમાં ભાજપ દ્વારા જીતનો દાવો કરવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લાની જંબુસરનો વોર્ડ નં. 1ને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવમાં આવે છેત્યારે કોંગ્રેસ પક્ષને આ વોર્ડની પેટા ચૂંટણી માટે ઉમેદવાર પણ નહીં મળે તેવો દાવો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. જંબુસર નગરપાલિકાના વોર્ડ નં. 1માં પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષ પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. તો બીજી તરફજંબુસર પંથકમાં વિવિધ વિકાસના કામોને લઈને જંબુસર પાલિકા નિષ્ફળ નીવડી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

Read the Next Article

અંકલેશ્વર:  શહેર પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ નેપાળી ગેંગના સાગરીતની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તી તળાવ પાણીની ટાંકી પાછળ રહેતા રોશનકુમાર ઠાકોર પટેલના ઘરને ગત તારીખ-2-12-22ના રોજ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

New Update
aaa

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તી તળાવ પાણીની ટાંકી પાછળ રહેતા રોશનકુમાર ઠાકોર પટેલના ઘરને ગત તારીખ-2-12-22ના રોજ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

તસ્કરોએ ઘરની લોખંડની જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો.અને મકાનમાં રહેલ રોકડા 20 હજાર તેમજ સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 61 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે આ ઘટફોડ ચોરીમાં સંડોવાયેલ નેપાળી ગેંગના સાગરીત મહેન્દ્ર દિપક બીસ્ટની ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ પાસેથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories