ભરૂચ : જંબુસર પાલિકાના વોર્ડ નં. 1ની પેટા ચૂંટણીમાં આક્ષેપ-પ્રતિ આક્ષેપો વચ્ચે ભાજપ-કોંગ્રેસે કર્યો પોતાની જીતનો દાવો...

રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તો  બીજી તરફ, ભરૂચ જિલ્લામાં પણ 3 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.

New Update
  • ભરૂચ જિલ્લાની 3 બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાશે

  • જિ.પંતા.પં. અને ન.પા.ની 1-1 બેઠકનો સમાવેશ

  • જિ.પંની આછોદતા.પં.ની પંડવાઈ બેઠકની ચૂંટણી

  • જંબુસર પાલિકાની એક બેઠક ઉપર ચૂંટણી યોજાશે

  • ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર સાબદું બન્યું

ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકાના વોર્ડ નં. 1 માટે પેટા ચૂંટણી હાથ ધરવામાં આવનાર છે. જેમાં આક્ષેપ અને પ્રતિ આક્ષેપો સાથે કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષ દ્વારા પોતાની જીતનો પ્રબળ દાવો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તો  બીજી તરફભરૂચ જિલ્લામાં પણ 3 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.

જેમાં ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠકહાંસોટ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક અને જંબુસર નગર સેવા સદનની એક બેઠક પર ચૂંટણી યોજાશે. જંબુસર નગરપાલિકાના વોર્ડ નં. 1ના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલા મૃત્યુ પામતા પેટા ચૂંટણી હાથ ધરવામાં આવનાર છે. જેમાં ભાજપ દ્વારા જીતનો દાવો કરવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લાની જંબુસરનો વોર્ડ નં. 1ને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવમાં આવે છેત્યારે કોંગ્રેસ પક્ષને આ વોર્ડની પેટા ચૂંટણી માટે ઉમેદવાર પણ નહીં મળે તેવો દાવો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. જંબુસર નગરપાલિકાના વોર્ડ નં. 1માં પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષ પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. તો બીજી તરફજંબુસર પંથકમાં વિવિધ વિકાસના કામોને લઈને જંબુસર પાલિકા નિષ્ફળ નીવડી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.