અંકલેશ્વર: 100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાય

ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આરએએફ મદદનીશ કમાડેન્ટ રાજેશ તિવારીની અધ્યક્ષતામાં જિલ્લાના દરેક પોલીસ મથકો અને તેમના વિસ્તારોની પરિચય મુલાકાત લેવામાં આવી રહી છે.

New Update
  • અંકલેશ્વર શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાય

  • રેપીડ એક્શન ફોર્સના જવાનો પણ જોડાયા

  • સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન

  • પોલીસ અધિકારીઓ અને જવાનો જોડાયા

  • લોકોએ કર્યો સુરક્ષા-સલામતીનો અનુભવ

અંકલેશ્વર શહેર એ ડીવીઝન અને 100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સની ટીમ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજ કરાયું 
ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આરએએફ મદદનીશ કમાડેન્ટ રાજેશ તિવારીની અધ્યક્ષતામાં જિલ્લાના દરેક પોલીસ મથકો અને તેમના વિસ્તારોની પરિચય મુલાકાત લેવામાં આવી રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને તેનો ચિતાર મેળવી ભૂતકાળમાં થયેલા તોફાનો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી પ્રાપ્ત કરી શકાય જે અંતર્ગત આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે. પી.આઈ.પી.જી.ચાવડા અને પી.એસ.આઈ. જીતેન્દ્ર ચૌહાણ અને 100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સની ટીમ દ્વારા ફ્લેગ માર્ચ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.પોલીસના ઘાડેધાડા રસ્તા પર ઉતરી આવતા લોકોએ સુરક્ષા અને સલામતીનો પણ અહેસાસ કર્યો હતો.
Read the Next Article

ભરૂચ: નેત્રંગમાં યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી-તુષાર ચૌધરી પાઘડી પહેરી આદિવાસી નૃત્યમાં જોડાયા

ભરૂચના નેત્રંગમાં યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • આજે આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી

  • ભરૂચના નેત્રંગમાં યોજાયો કાર્યક્રમ

  • આદિવાસી દિવસની કરવામાં આવી ઉજવણી

  • કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી-તુષાર ચૌધરી જોડાયા

  • ભાજપ સરકાર પર કર્યા પ્રહાર 

ભરૂચના નેત્રંગમાં યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

આજરોજ તારીખ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચના નેત્રંગ ખાતે બિરસા બ્રિગેડ નામના સંગઠન દ્વારા આદિવાસી દિવસની ઉજવણીના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા ડો. તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.આગેવાનો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.તો સાથે જ આગેવાનોએ પરંપરાગત પાઘડી પહેરી આદિવાસી નૃત્યમાં પણ ભાગ લીધો હતો. કોંગ્રેસના આગેવાનો દ્વારા આદિવાસીઓના હક સંવિધાન તથા આજના સામાજિક અને રાજકીય પ્રશ્નો સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપે જે મત મેળવ્યા છે, એ છેતરપીંડીથી મેળવ્યા છે જેને રાહુલ ગાંધીએ વિશ્વ સમક્ષ મૂક્યું છે હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે.

તો આ તરફ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટના કારણે હજારો આદિવાસીઓ વિસ્થાપિત થશે આથી તેનો વિરોધ કરવામાં આવે છે.