અંકલેશ્વર: 100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાય

ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આરએએફ મદદનીશ કમાડેન્ટ રાજેશ તિવારીની અધ્યક્ષતામાં જિલ્લાના દરેક પોલીસ મથકો અને તેમના વિસ્તારોની પરિચય મુલાકાત લેવામાં આવી રહી છે.

New Update
  • અંકલેશ્વર શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાય

  • રેપીડ એક્શન ફોર્સના જવાનો પણ જોડાયા

  • સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન

  • પોલીસ અધિકારીઓ અને જવાનો જોડાયા

  • લોકોએ કર્યો સુરક્ષા-સલામતીનો અનુભવ

અંકલેશ્વર શહેર એ ડીવીઝન અને 100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સની ટીમ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજ કરાયું 
ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આરએએફ મદદનીશ કમાડેન્ટ રાજેશ તિવારીની અધ્યક્ષતામાં જિલ્લાના દરેક પોલીસ મથકો અને તેમના વિસ્તારોની પરિચય મુલાકાત લેવામાં આવી રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને તેનો ચિતાર મેળવી ભૂતકાળમાં થયેલા તોફાનો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી પ્રાપ્ત કરી શકાય જે અંતર્ગત આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે. પી.આઈ.પી.જી.ચાવડા અને પી.એસ.આઈ. જીતેન્દ્ર ચૌહાણ અને 100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સની ટીમ દ્વારા ફ્લેગ માર્ચ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.પોલીસના ઘાડેધાડા રસ્તા પર ઉતરી આવતા લોકોએ સુરક્ષા અને સલામતીનો પણ અહેસાસ કર્યો હતો.
Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.