New Update
-
અંકલેશ્વરમાં બન્યો હતો ચકચારી બનાવ
-
નેશનલ હાઇવે પર ટેન્કર ચાલકની કરાય હતી હત્યા
-
લૂંટના ઇરાદે કરવામાં આવી હતી હત્યા
-
પોલીસે ઉત્તરપ્રદેશથી 2 આરોપીની કરી ધરપકડ
-
ચપ્પુના ઘા મારી હત્યાના ગુનાને અપાયો અંજામ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટેન્કર ડ્રાઇવરની લૂંટના ઇરાદે હત્યા કરનાર ચાર પૈકી બે હત્યારાને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર યુપીએલ કંપની નજીક ઉભેલા ટેન્કરની કેબિનમાંથી ટેન્કર ચાલકનો ગત તારીખ-14મી એપ્રિલના રોજ
મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલામાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી 42 વર્ષીય હોરીલાલ યાદવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું.બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી.પોલીસે હત્યાના ગુનામાં ઉત્તર પ્રદેશના આઝમગઢ ખાતેથી બે હત્યારાઓ જમની ઉર્ફે સોનું વેંકટેશ વણઝારા અને ભંગારૂ સામબા ભોસલેને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય બે હત્યારાઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ લૂંટના ઇરાદે ટેન્કર ચાલક પોતાનું વાહન પાર્ક કરી સુઈ ગયો હતો તે સમયે ટેન્કરની કેબિનમાં પ્રવેશ કરી મોબાઈલ ફોન અને રૂપિયા ટેન્કર ચાલકના ખિસ્સામાંથી કાઢતા હતા તે સમયે ચાલક જાગી જતા ઝપાઝપી દરમિયાન બંને ઈસમોએ છરાના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા. પોલીસને લોકેશન ન મળે તે માટે આરોપીઓ મોબાઈલ ફોન ગુજરાતમાં રહેતા તેની માતા અને અન્ય એક ઇસમને આપી ગુજરાત છોડી ફરાર થઈ ગયા હતા પોલીસે આ મામલામાં તેઓના માતા સહિત 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.