અંકલેશ્વર: NH 48 પર ટેન્કર ચાલક પાસે લૂંટ કરી હત્યા કરનાર 2 આરોપી ઝડપાયા, લોકેશન ન મળે એ માટે ફોન માતાને આપી UP થયા હતા ફરાર

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટેન્કર ડ્રાઇવરની લૂંટના ઇરાદે હત્યા કરનાર ચાર પૈકી બે હત્યારાને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • અંકલેશ્વરમાં બન્યો હતો ચકચારી બનાવ

  • નેશનલ હાઇવે પર ટેન્કર ચાલકની કરાય હતી હત્યા

  • લૂંટના ઇરાદે કરવામાં આવી હતી હત્યા

  • પોલીસે ઉત્તરપ્રદેશથી 2 આરોપીની કરી ધરપકડ

  • ચપ્પુના ઘા મારી હત્યાના ગુનાને અપાયો અંજામ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટેન્કર ડ્રાઇવરની લૂંટના ઇરાદે હત્યા કરનાર ચાર પૈકી બે હત્યારાને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર યુપીએલ કંપની નજીક ઉભેલા ટેન્કરની કેબિનમાંથી ટેન્કર ચાલકનો ગત તારીખ-14મી એપ્રિલના રોજ
 મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલામાં  મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી 42 વર્ષીય હોરીલાલ યાદવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું.બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી.પોલીસે હત્યાના ગુનામાં ઉત્તર પ્રદેશના આઝમગઢ ખાતેથી બે હત્યારાઓ જમની ઉર્ફે સોનું વેંકટેશ વણઝારા અને ભંગારૂ સામબા ભોસલેને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય બે હત્યારાઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ લૂંટના ઇરાદે ટેન્કર ચાલક પોતાનું વાહન પાર્ક કરી સુઈ ગયો હતો તે સમયે ટેન્કરની કેબિનમાં  પ્રવેશ કરી મોબાઈલ ફોન અને રૂપિયા ટેન્કર ચાલકના ખિસ્સામાંથી કાઢતા હતા તે સમયે ચાલક જાગી જતા ઝપાઝપી દરમિયાન બંને ઈસમોએ છરાના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા. પોલીસને લોકેશન ન મળે તે માટે આરોપીઓ મોબાઈલ ફોન ગુજરાતમાં રહેતા તેની માતા અને અન્ય એક ઇસમને આપી ગુજરાત છોડી ફરાર થઈ ગયા હતા પોલીસે આ મામલામાં તેઓના માતા સહિત 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.