અંકલેશ્વર: સુયોગ ફાર્મા કંપની સાથે રૂ.1.76 કરોડની છેતરપીંડીના મામલામાં મુંબઈથી 2 આરોપીઓની ધરપકડ !

અંકલેશ્વરની સુયોગ ફાર્મા કંપની સાથે રૂ.1.76 કરોડની છેતરપીંડી કરનાર ૯ પૈકી બે ઈસમોને પોલીસે મુંબઈથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

New Update
  • અંકલેશ્વરની સુયોગ ફાર્મા કંપની સાથે થઈ હતી છેતરપીંડી

  • રૂ.1.76 કરોડની છેતરપીંડીની નોંધાઇ હતી ફરિયાદ

  • છેતરપિંડીના મામલામાં 2 આરોપીની ધરપકડ

  • પોલીસે મુંબઈથી આરોપીઓની ધરપકડ કરી

  • કુલ 9 આરોપી સામે નોંધાઇ છે ફરિયાદ

અંકલેશ્વરની સુયોગ ફાર્મા કંપની સાથે રૂ.1.76 કરોડની છેતરપીંડી કરનાર 9 પૈકી બે ઈસમોને પોલીસે મુંબઈથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વર જીઆઈડીસીની સુયોગ લાઈફ સાયન્સ કંપની પાસેથી  મુંબઈની ચાર કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટનો બલ્ક ડ્રગનો ઓર્ડર આપ્યો હતો.જેની કુલ કિંમત 1 કરોડ 76 લાખ 48 હજાર 375 થતી હતી.તમામ કંપનીઓએ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક દ્વારા પેમેન્ટ ચુકવ્યુ હતુ.
જોકે નિયત સમય મર્યાદામાં તેઓના એકાઉન્ટમાં પૂરતી રકમ જમા નહોતી જેથી પેમેન્ટનુ ચુકવણુ થયું નહોતુ. અંતે અંકલેશ્વરની કંપનીએ ચારેય કંપનીઓના સંચાલકો વિરૂધ્ધ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે મુંબઈની પરમહંસ એન્ટરપ્રાઈઝના અરુણ દશરથ શર્મા, રણજીતસિંઘ, અવીવા લાઈફ સાઈન્સનાં માલિક રાજેશ ઉનીક્રીષ્નન નાયર,પંકજ અગ્રવાલ,હબ ફાર્માના માલિક સુરજ તુલસીરામ નિરંકાર,સમીર અગ્રવાલ વોર્ટેક્સ મલ્ટીટ્રેડ ઈન્ડીયાના માલિક અવિનાશ પ્યારે શિવપુરી,અકૃતિ અવિનાશ શિવપુરી,વિનીત શર્મા સામે છેતરપિંડીની ફરિયાદ 4 માર્ચે નોંધી  હતી.
આ મામલે પોલીસે વોર્ટેક્સ મલ્ટીટ્રેડ ઈન્ડીયાના માલિક અવિનાશ પ્યારે શિવપુરી અને આદિત્ય ઉર્ફે રણજીતસિંહ દયાશંકર તિવારીની મુંબઈથી ધરપકડ કરી છે.જ્યારે અન્ય આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.