અંકલેશ્વર: વાપીથી અયોધ્યા સુધીની રામાથોન પર નિકળેલ 2 દોડવીરોનું કરાયુ સ્વાગત

સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલીયા બંને યુવાનો સ્ત્રી સશક્તિકરણનો સંદેશો આપવાના હેતુથી વાપીથી અયોધ્યા ધામ જવા માટે રામાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરમાં દોડવીરોનું કરાયુ સ્વાગત

  • વાપીથી અયોધ્યા સુધીની રામાથોન કરી રહ્યા છે દોડવીરો

  • 25 દિવસમાં 1500 કી.મી.સુધીનું અંતર કાપશે

  • બાઇસીકલ ક્લબ દ્વારા સન્માન કરાયુ

  • 22મી જાન્યુઆરીથી શરૂ કરી છે રામથોન

Advertisment
વાપીથી અયોધ્યા ધામ ખાતે જવા નીકળેલ બે દોડવીર અંકલેશ્વર ખાતે આવી પહોંચતા બાયસીકલ  ગ્રુપના સભ્યોએ તેઓનું સ્વાગત કર્યું હતું. વાપી ખાતે રહેતા સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલીયા બંને યુવાનો સ્ત્રી સશક્તિકરણનો સંદેશો આપવાના હેતુથી વાપીથી અયોધ્યા ધામ જવા માટે રામાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બંને યુવાનો આજરોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા અંકલેશ્વર બાઇસીકલ ક્લબ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ બંને દોડવીરો 22મી જાન્યુઆરીથી નીકળ્યા છે.જેઓ રોજના આશરે 60 થી 65 કિલો મીટર જેટલું રનિંગ કરી રહ્યા છે.
લગભગ 25 દિવસમાં 1500 કિલોમીટર જેટલું રનીંગ કરી 16મી  ફેબ્રુઆરીએ અયોધ્યા પહોંચશે. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે અંકલેશ્વર બાયસીકલ ક્લબના સભ્યોએ બંને દોડવીરોનું સ્વાગત કરી સન્માન કર્યું હતું.
Latest Stories