New Update
અંકલેશ્વરમાં આવેલી છે હોસ્પિટલ
જયાબહેન મોદી હોસ્પિટલમાં થાય છે કેન્સરની સારવાર
હોસ્પિટલને 4D સીટી સ્કેન સિસ્ટમનું અનુદાન અપાયું
બીજીપી હેલ્થ કેર કંપની દ્વારા અનુદાન અપાયું
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં બી.જી.પી. હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 4D સિટી સ્કેન સિસ્ટમનું ઉદ્દઘાટન કરાયું.
અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે દર્દીઓની સારવાર માટે અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી બી.જી.પી.હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા 4D સિટી સ્કેન સિસ્ટમનું મેનેજિંગ ડિરેક્ટર જયેશ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડો.આત્મી ડેલીવાલા અને સ્ટાફ તેમજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ નવતર ટેકનોલોજી કેન્સર રોગના વધુ ચોકસાઈભર્યા નિદાન અને સારવાર માટે ઉપયોગી સાબિત થશે. 4D CT સ્કેન સોફ્ટવેર ધ્વારા દર્દીના અવયવોની ગતિશીલતા અને સમયાનુક્રમીય સ્થિતિના આધારે વધુ સચોટ રેડિએશન થેરાપી યોજના બનાવવી શક્ય બને છે જે રોગનિદાન અને સારવારના ગુણવત્તા સ્તરને નોંધપાત્ર રીતે વધારશે.
Latest Stories