અંકલેશ્વર: નેશનલ ફાયર સર્વિસ દિવસે જ પાનોલીમાં 2 કંપનીમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ !

અંકલેશ્વરની પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલી જલ એક્વા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં ફરીએકવાર આગનો બનાવ

  • નેશનલ ફાયર સર્વિસ દિવસે જ આગ

  • પાનોલીની 2 કંપની ભડકે બળી

  • 12 ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો

  • જલ એક્વા કંપનીમાંથી એક મૃતદેહ મળી આવ્યો

અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં બે કંપનીઓમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.12 જેટલા ફાયર ફાયટરોએ લગભગ છ થી સાત કલાકની જહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. 

આજરોજ નેશનલ ફાયર સર્વિસ ડે ની ઉજવણી કરવામાં આવી રહી હતી તેવામાં અંકલેશ્વરમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો. અંકલેશ્વરની પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલી જલ એક્વા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આ આગ બાજુમાં આવેલી બી. આર.એગ્રો નામની કંપનીમાં પણ ફેલાતા દોડધામ મચી જવા પામી હતી.
બનાવની જાણ થતાની સાથે જ એક પછી એક 10 થી 12 જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. તો બીજી તરફ  સેફ્ટી અને હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
કંપની તરફ જતા તમામ માર્ગો કોર્ડન કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.લગભગ છ થી સાત કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી. બંને કંપનીના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે .તો આગના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હતું.

જલ એક્વા કંપનીમાંથી એક મૃતદેહ મળી આવ્યો

આ તરફ ફાયર વિભાગની કુલિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જલ એક્વા કંપનીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. કંપનીમાં આગ દરમિયાન કામદારનું દાઝી જતા મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે.આ મામલે જીઆઇડીસી પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે નવી નગરીમાંથી રૂ.86 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર શહેરના નવી નગરીમાં દેવ સર્વિસ  સ્ટેશનની બાજુમાંથી કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

New Update
aassdf

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર શહેરના નવી નગરીમાં દેવ સર્વિસ  સ્ટેશનની બાજુમાંથી કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના નવી નગરીમાં દેવ સર્વિસ  સ્ટેશનની બાજુમાં રહેતો કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘી પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 120 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 86 હજારનો દારૂ અને ફોન મળી કુલ 92 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘી દિલાવરશા દિવાનને ઝડપી પાડ્યો હતો.જ્યારે સવિતા યાદવ,લલિતા વસાવા અને અરવિંદ સુકલાને વોન્ટેડ જાહેર કર્યો હતો.