અંકલેશ્વર: નેશનલ ફાયર સર્વિસ દિવસે જ પાનોલીમાં 2 કંપનીમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ !

અંકલેશ્વરની પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલી જલ એક્વા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં ફરીએકવાર આગનો બનાવ

  • નેશનલ ફાયર સર્વિસ દિવસે જ આગ

  • પાનોલીની 2 કંપની ભડકે બળી

  • 12 ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો

  • જલ એક્વા કંપનીમાંથી એક મૃતદેહ મળી આવ્યો

અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં બે કંપનીઓમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.12 જેટલા ફાયર ફાયટરોએ લગભગ છ થી સાત કલાકની જહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. 

આજરોજ નેશનલ ફાયર સર્વિસ ડે ની ઉજવણી કરવામાં આવી રહી હતી તેવામાં અંકલેશ્વરમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો. અંકલેશ્વરની પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલી જલ એક્વા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આ આગ બાજુમાં આવેલી બી. આર.એગ્રો નામની કંપનીમાં પણ ફેલાતા દોડધામ મચી જવા પામી હતી.
બનાવની જાણ થતાની સાથે જ એક પછી એક 10 થી 12 જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. તો બીજી તરફ  સેફ્ટી અને હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
કંપની તરફ જતા તમામ માર્ગો કોર્ડન કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.લગભગ છ થી સાત કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી. બંને કંપનીના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે .તો આગના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હતું.

જલ એક્વા કંપનીમાંથી એક મૃતદેહ મળી આવ્યો

આ તરફ ફાયર વિભાગની કુલિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જલ એક્વા કંપનીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. કંપનીમાં આગ દરમિયાન કામદારનું દાઝી જતા મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે.આ મામલે જીઆઇડીસી પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.