અંકલેશ્વર : સોમવારની સાંજના સમયે ધમરોળતી કુદરતીની આફત,પવનની તેજ ગતિ સાથે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે અંકલેશ્વરમાં પણ સોમવારની સાંજના સમયે ઋતુચક્રમાં બદલાવ આવ્યો હતો.

author-image
By Connect Gujarat Desk
New Update
  • પવનની તેજ રફતાર સાથે વરસાદની તોફાની બેટિંગ

  • પવન સાથે વરસાદ વરસતા વૃક્ષ થયા ધરાશાયી

  • વીજ લાઈને નુકસાની પગલે પુરવઠો ખોરવાયો

  • ઔદ્યોગિક વસાહતમાં શેડના પતરા પણ ઉડ્યા

  • વીજ પુરવઠો ખોરવતા ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા ઠપ

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે અંકલેશ્વરમાં પણ સોમવારની સાંજના સમયે ઋતુચક્રમાં બદલાવ આવ્યો હતો.અને પવનની તેજગતિ સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં ઝાડ પણ ધરાશાયી થયા હતા,તેમજ વીજપુરવઠો પણ ખોરવાયો હતો.
કહેવાય છે કે કુદરતની ધમાલ આગળ બધી ધમાલ પામર છે.રાજ્યના બદલાયેલા ઋતુચક્રની ભારે અસર અંકલેશ્વરમાં પણ વર્તાય હતી.અચાનક બદલાયેલા વાતાવરણને પગલે સોમવારની સાંજના સમયે ભારે પવન ફૂંકાયો હતો.અને સાથે વરસાદી ઝાપટાયે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું હતું.
કુદરતી ધમાલમાં કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ બની હતી.તેમજ વીજ પુરવઠો પણ ખોરવાય ગયો હતો.જ્યારે જાહેર રસ્તાઓ પર ભારે ટ્રાફિમજામ સર્જાય ગયો હતો.પવનની તેજ રફતાર અને વીજળીના ચમકારા સાથે વરસેલા વરસાદને પગલે જુના કાંસિયા ગામમાં લગ્ન મંડપ પણ ઉડી ગયો હતો.માત્ર અંદાજે પંદર મિનિટ કુદરતી ધમાલમાં જાણે સમગ્ર પંથકમાં અફરાતફરી સર્જી દીધી હતી.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પણ કેટલાક ઉદ્યોગોના શેડના પતરા પણ ઉડી ગયા હતા.જ્યારે વીજ કંપનીના વીજ તારને નુકસાન પહોંચતા વીજ પુરવઠો ખોરવાયો હતો.જેની સીધી અસર ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા પર પડી હતી.તો બીજી તરફ ડિજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરીને વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે.
Read the Next Article

ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ નીતિન ગડકરીને લખ્યો પત્ર, જર્જરીત બ્રિજોના નવીનીકરણની કરી માંગ

સાંસદ મનસુખ વસાવાએ નીતિન ગડકરીને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચના નેત્રંગ ડેડીયાપાડા વચ્ચે કરજણ નદી પર આવેલ બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો છે. 

New Update
mansukh vasava

ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખવામાં આવ્યો છે જેમાં વડોદરા અને આણંદ વચ્ચે મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવેલા વિવિધ જર્જરીત બ્રિજના નવીનીકરણની માંગ કરવામાં આવી છે. મનસુખ વસાવાએ લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચના નેત્રંગ ડેડીયાપાડા વચ્ચે કરજણ નદી પર આવેલ બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો છે. 

Bridge Renovation

આ સાથે જ આમોદ જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદી પરનો 60 વર્ષ જુનો બ્રિજ પણ અત્યંત જર્જરીત હાલતમાં છે. આ બ્રિજ પરથી મોટા ભારદારી વાહનો પસાર થતા હોવાથી દુર્ઘટનાની શક્યતા નકારી શકાતી નથી ત્યારે આ તમામ બ્રિજોના નવીનીકરણની માંગ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે.