New Update
-
પવનની તેજ રફતાર સાથે વરસાદની તોફાની બેટિંગ
-
પવન સાથે વરસાદ વરસતા વૃક્ષ થયા ધરાશાયી
-
વીજ લાઈને નુકસાની પગલે પુરવઠો ખોરવાયો
-
ઔદ્યોગિક વસાહતમાં શેડના પતરા પણ ઉડ્યા
-
વીજ પુરવઠો ખોરવતા ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા ઠપ
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે અંકલેશ્વરમાં પણ સોમવારની સાંજના સમયે ઋતુચક્રમાં બદલાવ આવ્યો હતો.અને પવનની તેજગતિ સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં ઝાડ પણ ધરાશાયી થયા હતા,તેમજ વીજપુરવઠો પણ ખોરવાયો હતો.
કહેવાય છે કે કુદરતની ધમાલ આગળ બધી ધમાલ પામર છે.રાજ્યના બદલાયેલા ઋતુચક્રની ભારે અસર અંકલેશ્વરમાં પણ વર્તાય હતી.અચાનક બદલાયેલા વાતાવરણને પગલે સોમવારની સાંજના સમયે ભારે પવન ફૂંકાયો હતો.અને સાથે વરસાદી ઝાપટાયે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું હતું.
કુદરતી ધમાલમાં કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ બની હતી.તેમજ વીજ પુરવઠો પણ ખોરવાય ગયો હતો.જ્યારે જાહેર રસ્તાઓ પર ભારે ટ્રાફિમજામ સર્જાય ગયો હતો.પવનની તેજ રફતાર અને વીજળીના ચમકારા સાથે વરસેલા વરસાદને પગલે જુના કાંસિયા ગામમાં લગ્ન મંડપ પણ ઉડી ગયો હતો.માત્ર અંદાજે પંદર મિનિટ કુદરતી ધમાલમાં જાણે સમગ્ર પંથકમાં અફરાતફરી સર્જી દીધી હતી.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પણ કેટલાક ઉદ્યોગોના શેડના પતરા પણ ઉડી ગયા હતા.જ્યારે વીજ કંપનીના વીજ તારને નુકસાન પહોંચતા વીજ પુરવઠો ખોરવાયો હતો.જેની સીધી અસર ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા પર પડી હતી.તો બીજી તરફ ડિજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરીને વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે.
Latest Stories