અંકલેશ્વર : સોમવારની સાંજના સમયે ધમરોળતી કુદરતીની આફત,પવનની તેજ ગતિ સાથે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે અંકલેશ્વરમાં પણ સોમવારની સાંજના સમયે ઋતુચક્રમાં બદલાવ આવ્યો હતો.

author-image
By Connect Gujarat Desk
New Update
  • પવનની તેજ રફતાર સાથે વરસાદની તોફાની બેટિંગ

  • પવન સાથે વરસાદ વરસતા વૃક્ષ થયા ધરાશાયી

  • વીજ લાઈને નુકસાની પગલે પુરવઠો ખોરવાયો

  • ઔદ્યોગિક વસાહતમાં શેડના પતરા પણ ઉડ્યા

  • વીજ પુરવઠો ખોરવતા ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા ઠપ

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે અંકલેશ્વરમાં પણ સોમવારની સાંજના સમયે ઋતુચક્રમાં બદલાવ આવ્યો હતો.અને પવનની તેજગતિ સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં ઝાડ પણ ધરાશાયી થયા હતા,તેમજ વીજપુરવઠો પણ ખોરવાયો હતો.
કહેવાય છે કે કુદરતની ધમાલ આગળ બધી ધમાલ પામર છે.રાજ્યના બદલાયેલા ઋતુચક્રની ભારે અસર અંકલેશ્વરમાં પણ વર્તાય હતી.અચાનક બદલાયેલા વાતાવરણને પગલે સોમવારની સાંજના સમયે ભારે પવન ફૂંકાયો હતો.અને સાથે વરસાદી ઝાપટાયે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું હતું.
કુદરતી ધમાલમાં કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ બની હતી.તેમજ વીજ પુરવઠો પણ ખોરવાય ગયો હતો.જ્યારે જાહેર રસ્તાઓ પર ભારે ટ્રાફિમજામ સર્જાય ગયો હતો.પવનની તેજ રફતાર અને વીજળીના ચમકારા સાથે વરસેલા વરસાદને પગલે જુના કાંસિયા ગામમાં લગ્ન મંડપ પણ ઉડી ગયો હતો.માત્ર અંદાજે પંદર મિનિટ કુદરતી ધમાલમાં જાણે સમગ્ર પંથકમાં અફરાતફરી સર્જી દીધી હતી.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પણ કેટલાક ઉદ્યોગોના શેડના પતરા પણ ઉડી ગયા હતા.જ્યારે વીજ કંપનીના વીજ તારને નુકસાન પહોંચતા વીજ પુરવઠો ખોરવાયો હતો.જેની સીધી અસર ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા પર પડી હતી.તો બીજી તરફ ડિજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરીને વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે.
Read the Next Article

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું....

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન

ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

આગ સહિતની ઘટનાઓમાં બજાવે છે ફરજ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે.શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે.આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.