અંકલેશ્વર: પાનોલીના M.S.જોલી ઓડિટોરિયમમાં ફાયર સેફટીના માર્ગદર્શન અંગે સેમિનાર યોજાયો

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીને લઇ વિવિધ વિભાગો દ્વારા ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે અને અનેક મિલકતોને નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે

New Update

અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ એમ.એસ.જોલી ઓડિટોરિયમ ખાતે ઉદ્યોગપતિઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાયર સેફ્ટી બાબતે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીને લઇ વિવિધ વિભાગો દ્વારા ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે અને અનેક મિલકતોને નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે ત્યારે ફાયર સેફટી બાબતે ઉદ્યોગપતિઓમાં રહેલી મૂંઝવણ દૂર થાય તે માટે અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ એમ. એસ.જોલી ઓડિટોરિયમ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ઉદ્યોગપતિ એલ.કે. ડુંગરાણીએ ફાયર સેફ્ટીના નિયમો બાબતે ઉપસ્થિતોને જાણકારી આપી હતી. સરકારના ફાયર સેફટીના કાયદા તેમજ સમયાંતરે લેવામાં આવનાર કાળજી બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં પાનોલી ઉદ્યોગ મંડળના હોદ્દેદારો, સભ્યો તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા હતા

Read the Next Article

ભરૂચ : આર.કે.કાસ્ટા સ્થિત રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં પેથોલોજી-રેડિયોલોજીની આધુનિક સુવિધાઓનો પ્રારંભ કરાયો...

ભરૂચ શહેરના આર.કે.કાસ્ટા કોમ્પ્લેક્સ સ્થિત શ્રોફ પુનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં પેથોલોજી અને રેડિયોલોજી માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે

New Update
  • આર.કે.કાસ્ટા સ્થિત રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટરનું નિર્માણ

  • પેથોલોજી-રેડિયોલોજી માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ

  • ખરીદેલા નવા સાધનો અને નવા મશીનોનું ઉદ્ઘાટન કરાયું

  • રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

  • મોટી સંખ્યામાં રોટેરિયન સભ્યો-આમંત્રિતોની ઉપસ્થિતિ

ભરૂચ શહેરના આર.કે.કાસ્ટા કોમ્પ્લેક્સ સ્થિત શ્રોફ પુનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં પેથોલોજી અને રેડિયોલોજી માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છેત્યારે આજરોજ નવા ખરીદેલા સાધનો અને મશીનોનું રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

વર્ષ 2023-24 રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રેસીડેન્ટ રોટેરિયન રિઝવાના તલકીન જમીનદારએ શ્રોફ પુનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટર નામના કાયમી પ્રોજેક્ટ માટે વૈશ્વિક ગ્રાન્ટ શરૂ કરી હતી. ભરૂચ શહેરના આર.કે.કાસ્ટા કોમ્પ્લેક્સ સ્થિત શ્રોફ પુનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં દરેક સમાજના વંચિત વર્ગને પેથોલોજી અને રેડિયોલોજી પરીક્ષણમાં બજાર દર કરતાં 50 ટકાના રાહત દરે સેવા આપવામાં આવે છેત્યારે પેથોલોજી અને રેડિયોલોજી સેન્ટરમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

પેથોલોજી વિભાગમાં 4 નવા અતિ-આધુનિક પેથોલોજી મશીન તેમજ રેડિયોલોજી વિભાગમાં એક નવીનતમ અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી મશીનથી આ સેન્ટર સજ્જ થયું છેત્યારે આજરોજ રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપ સિંહ બુનેટરોટરી ક્લબ ઓફ ભરૂચના વર્તમાન પ્રમુખ સી.એ. ભાવેશ હરિયાણી સહિત રોટેરિયન સભ્યોના હસ્તે નવા ખરીદેલા સાધનો અને મશીનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ નગરજનોને પણ અદ્ધતન સુવિધાઓનો લાભ લેવા રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંત જાનીપરાગ શેઠપુનમ શેઠડો. વિક્રમ પ્રેમકુમારઇલા શાહડૉ. અશોક કાપડિયા સહિત મોટી સંખ્યામાં રોટેરિયન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.