અંકલેશ્વર : ગોયા બજાર મુખ્ય શાળા  ખાતે વિદ્યાર્થીઓ માટે યોગ પ્રશિક્ષણ વર્ગ યોજાયો

રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અને શિક્ષક સંઘના પ્રમુખ ગજેન્દ્ર પટેલે યોગનું મહત્વ સમજાવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કાર્ય પ્રણાલીથી સૌને વાકેફ કર્યા

New Update
 યોગ પ્રશિક્ષણ વર્ગ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગોયા બજારમાં આવેલ મુખ્ય શાળા  ખાતે વિદ્યાર્થીઓ માટે યોગ પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. જેમાં અંકલેશ્વર તાલુકા યોગ કોચ અશોક ઓઝા દ્વારા વિદ્યાર્થીઓ માટે વિવિધ યોગ ક્રિયાઓનું નિદર્શન કરાવવામાં આવ્યું.હતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગના પ્રચાર અને પ્રસાર અર્થે યોગ્ય ક્રિયાઓના પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત અંકલેશ્વરની ગોયા બજારમાં  નગર પાલિકા સંચાલિત મુખ્ય શાળા નં.1 ખાતે વિદ્યાર્થીઓ માટે યોગ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રારંભે રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અને શિક્ષક સંઘના પ્રમુખ ગજેન્દ્ર પટેલે યોગનું મહત્વ સમજાવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કાર્ય પ્રણાલીથી સૌને વાકેફ કર્યા હતા.
આ યોગ પ્રશિક્ષણ વર્ગમાં અંકલેશ્વર તાલુકા યોગ કોચ અશોક ઓઝા દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ યોગ ક્રિયાઓનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોગ પ્રશિક્ષક અતુલ જોશી, ઉમેશ મારસોનીયા, ઉમેશ દાંગરોશીયા તથા વિક્રમ રાવલ અને શાળાના મુખ્ય શિક્ષિકા રેખાબેન વસાવા સહીત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories