અંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ પર રાત્રીના સમયે 5 વાહનો વચ્ચે અકસ્માત, ટ્રાફિકજામની પરિસ્થિતિ

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. નર્મદા મૈયા બ્રિજ પર ગતરોજ રાત્રીના સમયે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો

New Update
bharuch

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. નર્મદા મૈયા બ્રિજ પર ગતરોજ રાત્રીના સમયે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આગળ ચાલતી કારે  અચાનક બ્રેક મારતા પાછળથી અન્ય ચાર વાહનો ભટકાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના પગલે નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતુ.

બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.બનાવની જાણ થતાની સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને આગળ રવાના કરી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો. છે કે નર્મદા બ્રિજ પર અકસ્માતના પ્રમાણમાં વધારો થયો છે. પોલીસ દ્વારા બ્રિજ પર વાહન ચલાવવા માટે સ્પીડ લિમિટ પણ રાખવામા આવી છે. આમ છતાં આડેધડ દોડતા વાહનોના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર : મેઘરાજાના ગાજવીજ સાથે આગમન બાદ મહાવીર ટર્નીંગથી લઈને વાલિયા ચોકડી સુધી સર્જાયો ટ્રાફિક

અંકલેશ્વરમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છે.ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા,

New Update
  • અંકલેશ્વરમાં વરસાદી માહોલ જામ્યો

  • ચોમાસાની વિધિવત શરૂઆત

  • કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા

  • વરસાદ સાથે ટ્રાફિકની સમસ્યા સર્જાય

  • મહાવીર ટર્નીંગથી વાલિયા ચોકડી સુધી સર્જાયો ટ્રાફિક  

અંકલેશ્વરમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છે.ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા,જ્યારે ટ્રાફિક જામથી પણ વાહન ચાલકો પરેશાન થઇ ગયા હતા.

અંકલેશ્વર પંથકમાં સોમવારની બપોરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી,ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીએ જમાવટ કરી હતી.વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી,જેના કારણે લોકોએ બફારાથી રાહત મેળવી હતી,જોકે એક તરફ જ્યાં વરસાદ વરસી રહ્યો હતો તો બીજી તરફ મહાવીર ટર્નીંગથી વાલિયા ચોકડી સુધીના માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી,અને વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતા.

વાલિયા ચોકડી વાહનોની અવરજવરથી સતત ધમધમે છે.પરંતુ વાહન ચાલકોની વધુ પડતી ઉતાવળ અને ચોકડી પરથી હેલા નીકળી જવાની જીદના કારણે પણ વાહનો આડા અવળા ઘુસી જવાના કારણે ટ્રાફિક જામ સર્જાય રહ્યો હોવાનું વાહન ચાલકો કહી રહ્યા છે.અને સર્જાતો ચક્કાજામ પોલીસ માટે પણ સરદર્દ સમાન બની રહ્યો છે.