અંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ પર રાત્રીના સમયે 5 વાહનો વચ્ચે અકસ્માત, ટ્રાફિકજામની પરિસ્થિતિ

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. નર્મદા મૈયા બ્રિજ પર ગતરોજ રાત્રીના સમયે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો

New Update
bharuch

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. નર્મદા મૈયા બ્રિજ પર ગતરોજ રાત્રીના સમયે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આગળ ચાલતી કારે  અચાનક બ્રેક મારતા પાછળથી અન્ય ચાર વાહનો ભટકાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના પગલે નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતુ.

Advertisment

બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.બનાવની જાણ થતાની સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને આગળ રવાના કરી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો. છે કે નર્મદા બ્રિજ પર અકસ્માતના પ્રમાણમાં વધારો થયો છે. પોલીસ દ્વારા બ્રિજ પર વાહન ચલાવવા માટે સ્પીડ લિમિટ પણ રાખવામા આવી છે. આમ છતાં આડેધડ દોડતા વાહનોના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: ભડકોદ્રાની ક્રિષ્નાપાર્ક સોસા.ના મકાનમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો !

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે

New Update
  • અંકલેશ્વરના ભડકોદ્રા ગામનો બનાવ

  • ક્રિષ્નાપાર્ક સોસા.માંથી મળ્યો મૃતદેહ

  • મકાનમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી

  • આપઘાત કર્યો હોવાનું અનુમાન

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતો ધર્મેશ પંચાલ નામનો યુવાન  શુક્રવારથી  ઘરની બહાર નજરે નહીં પડતા સ્થનિકોએ તેના મોટાભાઈને જાણ કરી હતી.તેના ભાઈએ સ્થળ પર દોડી આવી બારીનો કાચ તોડી અંદર જોતા યુવાન બેડ પર બેશુદ્ધ નજરે પડ્યો હતો.આ અંગે પોલીસને જાણ કરાતા જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતા યુવાનનું મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.યુવાને અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે જીઆઈડીસી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Advertisment