અહો ! આશ્ચર્યમ્ : ભાવનગરથી મહારાષ્ટ્ર જવા નીકળેલ જૈન સાધ્વીજીઓના સંઘ સાથે અંકલેશ્વર આવી પહોચ્યો શ્વાન...

દુનિયાના શ્રેષ્ઠ અને મહાન આત્માઓનું વિચરણ... એટલે જૈન સાધુઓનો ભગવંતો વિહાર. જૈન સંપ્રદાયના સાધુ-સાધ્વીજી પગપાળા ભગવંતો વિહાર કરે છે

author-image
By Connect Gujarat
New Update

ભરૂચ જિલ્લા અંકલેશ્વર શહેરના શ્રી અંતરિક્ષ પાશ્વનાથ જિનાલય ખાતે ભાવનગરથી મહારાષ્ટ્ર જવા નીકળેલ જૈન સાધ્વીજીઓના સંઘ સાથે આવેલા શ્વાનને જોઈ સૌકોઈ આશ્ચર્ય પામી રહ્યા છે.

દુનિયાના શ્રેષ્ઠ અને મહાન આત્માઓનું વિચરણ... એટલે જૈન સાધુઓનો ભગવંતો વિહાર. જૈન સંપ્રદાયના સાધુ-સાધ્વીજી પગપાળા ભગવંતો વિહાર કરે છેત્યારે ભાવનગરના પાલિતાણાથી મહારાષ્ટ્રના ભાંડુપ જવા નીકળેલ જૈન સાધ્વીજીઓના એક સંઘનું ભરૂચ જિલ્લામાં આગમન થયું હતું. આ સંઘ વિહાર દરમ્યાન અંકલેશ્વરની રવિરાજ સોસાયટી સ્થિત શ્રી અંતરિક્ષ પાશ્વનાથ જિનાલય ખાતે આવી પહોચ્યો હતો.

મુંબઈ નગરોદ્ધારક મુનિ મોહનલાલ મ.સા.ના સમુદાયવર્તિ સામુહિક વર્ષિતપવાળા પ.પૂ. ગુરુમા તેઓના આદિ ઠાણા 5 સંઘ સાથે અંકલેશ્વર પધાર્યા હતા. જોકેઆશ્વર્યની વાત તો એ છે કેઆ જૈન સંઘ સાથે એક શ્વાન પણ જોવા મળ્યું છે. આ શ્વાનનું નામ જાનું છે. ઉત્તરપ્રદેશ ખાતે ભગવંતો વિહાર દરમ્યાન જૈન સંઘ સાથે આ શ્વાન જોડાયું હતુંત્યારે છેલ્લા 6 વર્ષથી શ્વાન જાનું જૈન સાધ્વીજીઓ સાથે સતત વિહાર કરે છેજ્યાં પણ તેઓનો સંઘ જાય છેત્યાં સાથે સાથે શ્વાન જાનું પણ પહોચી જાય છે. એટલું જ નહીંજે કોઈપણ આહાર જૈન સાધ્વીજીઓ આરોગે છેતે જ આહાર શ્વાન જાનું પણ લે છેઅને સાધ્વીજીઓની જેમ ઉકળેલું પાણી જ પીવે છે. ઉપરાંત જૈન સાધ્વીજીઓ દ્વારા કરવામાં આવતી તમામ પૂજન વિધિમાં શ્વાન જાનું ખાસ ભાગ લે છે. વહેલી સવારે નવકારશી અને સંધ્યા સમયે ચૌવિહાર પણ શ્વાન જાનું કરે છે. તો જૈન સાધ્વીજીઓ પણ શ્વાન જાનુંને એટલો જ પ્રેમ આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆમ તો શ્વાનને કેટલાક લોકો દૂતકારે છેપથ્થર મારી ભગાડતા હોય છે. પરંતુ જૈન સાધ્વીજીઓ સાથે રહેતા શ્વાન જાનુંને જોઈ સૌકોઈ લોકો આશ્વર્ય પામી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: હાંસોટના કતપોર ગામ નજીક દરિયાના પાણીમાં તણાયેલું કન્ટેનર આવ્યું, પોલીસ અને કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી

ભરૂચના હાંસોટના કતપોર ગામ નજીક દરિયામાં કન્ટેનર તણાઈને  આવતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ દહેજ મરીન અને હાંસોટ પોલીસનો

New Update
MixCollage-27-Jul-2025-10-03-AM-438

ભરૂચના હાંસોટના કતપોર ગામ નજીક દરિયામાં કન્ટેનર તણાઈને  આવતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ દહેજ મરીન અને હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ભરૂચના હાંસોટ તાલુકાના કતપોર ગામ નજીક દરિયો અને વન ખાડીનો સંગમ થાય છે.આ ખાડીના પાણીમાં દરિયામાંથી તણાઈને આવેલ મોટુ કન્ટેનર નજરે પડ્યું હતું જેના પગલે ગ્રામજનોમાં કુતુહલ ફેલાયું હતું આસપાસના ઝીંગા તળાવમાં કામ કરતા કામદારો દ્વારા તેને બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તરફ આ અંગેની જાણ થતાની સાથે જ દહેજ મરીન પોલીસ તેમજ હાંસોટ પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને તપાસ કરતાં કન્ટેનરમાં બાળકોના બુટ ચપ્પલનો જથ્થો હોવાનો બહાર આવ્યું છે. પોલીસ દ્વારા આ અંગે કસ્ટમ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. આ મામલે કસ્ટમ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. દરિયામાં મોટી ભરતી સમયે કોઈ સીપમાંથી કન્ટેનર પડી ગયું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.જોકે આ કન્ટેનર કોનું છે અને કઈ રીતના દુર્ઘટનાનો ભોગ બન્યું તે સહિતની વિગતો તપાસ બાદ બહાર આવશે.