અંકલેશ્વર: ચોર અંગેના વાયરલ થઈ રહેલા મેસેજથી સાવધાન,હાંસોટ પોલીસે ગામના આગેવાનો સાથે યોજી બેઠક !

ભરૂચની હાંસોટ પોલીસ દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ ચોર ટોળકી અંગેના મેસેજથી સતર્ક રહેવા અને કાયદો હાથમાં ન લેવા વિવિધ ગામના આગેવાનો અને સરપંચ સાથે બેઠક યોજાય

New Update
ભરૂચ જિલ્લામાં વાયરલ મેસેજથી ફફડાટ
ચોર અંગેના મેસેજ થઈ રહ્યા છે વાયયરલ
અજાણ્યા લોકો પર કરવામાં આવે છે હુમલા
હાંસોટ પોલીસે ગામના આગેવાનો સાથે યોજી બેઠક
કાયદો હાથમાં ન લેવા લોકોને કરી અપીલ
ભરૂચની હાંસોટ પોલીસ દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ ચોર ટોળકી અંગેના મેસેજથી સતર્ક રહેવા અને કાયદો હાથમાં ન લેવા વિવિધ ગામના આગેવાનો અને સરપંચ સાથે બેઠક યોજાય હતી.

હાલમાં સોશિયલ મીડિયા પર ચોર અંગેના મેસેજ વાઇરલ થઈ રહ્યા છે જેમાં વિવિધ ગામોમાં ચોર ટોળકી ત્રાટકી ચોરીને અંજામ આપે છે. જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ગ્રામજનો દ્વારા ગામમાં આવતા અજાણ્યા લોકો પર હુમલા કરવામાં આવે છે અને કાયદો હાથમાં લેવામાં આવે છે ત્યારે હાંસોટ પોલીસ દ્વારા સરપંચ અને વિવિધ ગામના આગેવાનોની બેઠક યોજાઇ હતી તેમને જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે.ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજના કારણે વિવિધ ગામમાં લોકો રાત્રિ રોન પણ કરી રહ્યા છે અને ગામમાં આવતા અજાણ્યા લોકોને માર મારવામાં આવતો હોવાના બનાવ પ્રકાશમાં આવ્યા છે. ગતરોજ વાલિયા ખાતે નોકરીએ જઈ રહેલ યુવાનને ચોર સમજીને લોકોએ માર માર્યો હતો ત્યારે આવા બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ગામના આગેવાનો અને સરપંચોને જણાવવામાં આવ્યું છે

Read the Next Article

અંકલેશ્વર : NH 48 પર સતત ચોથા દિવસે ભારે ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે.

New Update
Screenshot_2025-08-01-15-00-28-73_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે. ત્યારે સતત ચોથા દિવસે પણ હાઇવે પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભરૂચ તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. આજે સતત ચોથા દિવસે પણ હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે.