અંકલેશ્વર: આંબોલી રોડ પર આવેલ CISF કેમ્પ ખાતે સાયકલ રેલીનું કરાયુ સ્વાગત, અધિક કલેકટર સહિતના અધિકારી રહ્યા ઉપસ્થિત

સીઆઇએસએફના 56માં સ્થાપના દિવસ નિમિત્તે કચ્છના લખપતથી નીકળેલી સાયકલ રેલીનું અંકલેશ્વરના આંબોલી ગામ પાસે સીઆઈએસેફ કેમ્પ ખાતે ભવ્ય સ્વાગત કરાયુ હતું.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું સ્વાગત

  • આંબોલી રોડ પર આવેલ CISF કેમ્પ ખાતે સ્વાગત કરાયુ

  • સીઆઈએસએફની સાયકલ રેલીનું સ્વાગત કરાયુ

  • અધિક કલેકટર એન.આર.ધાંધલ રહ્યા ઉપસ્થિત

  • સ્થાપના દિવસ નિમિત્તે નિકળી છે રેલી

સીઆઇએસએફના 56માં સ્થાપના દિવસ નિમિત્તે કચ્છના લખપતથી નીકળેલી સાયકલ રેલીનું અંકલેશ્વરના આંબોલી ગામ પાસે સીઆઈએસેફ કેમ્પ ખાતે ભવ્ય સ્વાગત કરાયુ હતું.આ પ્રસંગે વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
CISFના સ્થાપના દિવસ નિમિત્તે સીઆઇએસએફ દ્વારા કરછના લખપતથી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે વિવિધ જિલ્લામાં ફરી આજરોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી.અંકલેશ્વરના આંબોલી રોડ પર આવેલ સીઆઈએસેફના કેમ્પ ખાતે સાયકલ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. સદર કાર્યક્રમમાં અધિક કલેકટર એન.આર.ધાંધલ, અંકલેશ્વરના પ્રાંતઅધિકારી ભવદીપસિંહ જાડેજા,મામલતદાર કિરણસિંહ રાજપૂત, સીઆઇએસએફ કમાન્ડર કૃતિકા નેગી, ઉપકમાન્ડર વી.એસ. પ્રતિહાર તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓના હસ્તે સાયકલ યાત્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સુરક્ષિત તટ ,સુરક્ષિત ભારત થીમ પર સાયકલ યાત્રાનું 7 માર્ચના રોજ  ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલી લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં એક ગ્રુપ ગુજરાતના કચ્છ લખપતથી અને બીજું ગ્રુપ પશ્ચિમ બંગાળના બખ્ખાલીથી  સીઆઇએફના 125 કર્મચારીઓ જેમાં 14 સાહસીક મહિલાઓએ ભાગ લીધો છે.
Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.