અંકલેશ્વર: ડો.બાબાસાહેબ આંબેડરની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ BJP દ્વારા દીપોત્સવી કાર્યક્રમ યોજાયો

ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં ભાજપ દ્વારા આયોજન

  • દીપોત્સવી કાર્યક્રમનું આયોજન કરાયું

  • બાબા સાહેબની પ્રતિમાની સાફ સફાઈ કરાય

  • પ્રતિમા નજીક દીપ પ્રગટાવવામાં આવ્યા

  • ભાજપના કાર્યકરો જોડાયા

અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ દીપોત્સવી કાર્યક્રમ યોજાયો હતો

ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા રાષ્ટ્રીય, રાજ્ય અને શહેરી વિસ્તારોમાં દીપોત્સવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સાફ-સફાઈ કરી દીપ પ્રગટાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પ્રદેશના હોદ્દેદાર દિનેશ રોહિદ,અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા,નોટીફાઇડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

Read the Next Article

ભરૂચ: ઝઘડિયાના સારસા ગામમાં તંત્રએ ન કર્યું તે બાળકોએ કરી બતાવ્યું, રસ્તાના ખાડા જાતે પૂર્યા

ભરૂચના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ સારસામાં એક સરાહનીય ઘટના જોવા મળી છે જ્યાં ગામના નાના બાળકોએ રસ્તાના મસમોટા ખાડા પુરી વાહનચાલકોની સમસ્યા હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 

New Update
  • ભરૂચના ઝગઘડિયાના સારસાનો બનાવ 

  • બાળકોએ કર્યું સરાહનીય કાર્ય

  • રસ્તા પરના ખાડા જાતે પૂર્યા

  • વાહનચાલકોને મળી રાહત

  • બાળકોની કામગીરી લોકોએ આવકારી

ભરૂચના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ સારસામાં એક સરાહનીય ઘટના જોવા મળી છે જ્યાં ગામના નાના બાળકોએ રસ્તાના મસમોટા ખાડા પુરી વાહનચાલકોની સમસ્યા હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 
ભરૂચના ઝઘડિયા સારસા ગામ તરફ જતાં મુખ્ય રસ્તા પર ચોમાસાની શરૂઆતથી મસમોટા ખાડા પડેલા હતા.અહીંથી પસાર થતાં વાહનો માટે સતત અકસ્માતનો ભય રહેતો હતો. આ સમસ્યા સામેતંત્રે ધ્યાન ન આપ્યું તો મોટાઓએ માત્ર ટીકાઓ કરી પણ ગામના નાનાં બાળકો આગળ આવ્યા હતા.  શાળા જઈ રહેલા બાળકોના અકસ્માત અટકે એ માટે તેમણે રસ્તાના ખાડા પોતે પૂર્યા હતા. રસ્તાની સફાઈ કરીને માટી અને પથ્થર નાંખી તેમણે ખાડા સમતળ કર્યા હતા. આ પ્રકારની કામગીરી દેશના ભવિષ્યના નાગરિકોની સમજદારી દર્શાવે છે પણ તંત્ર માટે સવાલ ઊભો કરે છે કે જે કામ બાળકો કરી શકે છે તે મોટું તંત્ર કેમ નહીં?