અંકલેશ્વર: ડો.બાબાસાહેબ આંબેડરની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ BJP દ્વારા દીપોત્સવી કાર્યક્રમ યોજાયો

ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં ભાજપ દ્વારા આયોજન

  • દીપોત્સવી કાર્યક્રમનું આયોજન કરાયું

  • બાબા સાહેબની પ્રતિમાની સાફ સફાઈ કરાય

  • પ્રતિમા નજીક દીપ પ્રગટાવવામાં આવ્યા

  • ભાજપના કાર્યકરો જોડાયા

અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ દીપોત્સવી કાર્યક્રમ યોજાયો હતો

ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા રાષ્ટ્રીય, રાજ્ય અને શહેરી વિસ્તારોમાં દીપોત્સવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સાફ-સફાઈ કરી દીપ પ્રગટાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પ્રદેશના હોદ્દેદાર દિનેશ રોહિદ,અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા,નોટીફાઇડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.