અંકલેશ્વર: ડો.બાબાસાહેબ આંબેડરની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ BJP દ્વારા દીપોત્સવી કાર્યક્રમ યોજાયો

ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં ભાજપ દ્વારા આયોજન

  • દીપોત્સવી કાર્યક્રમનું આયોજન કરાયું

  • બાબા સાહેબની પ્રતિમાની સાફ સફાઈ કરાય

  • પ્રતિમા નજીક દીપ પ્રગટાવવામાં આવ્યા

  • ભાજપના કાર્યકરો જોડાયા

Advertisment
અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ દીપોત્સવી કાર્યક્રમ યોજાયો હતો

ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા રાષ્ટ્રીય, રાજ્ય અને શહેરી વિસ્તારોમાં દીપોત્સવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સાફ-સફાઈ કરી દીપ પ્રગટાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પ્રદેશના હોદ્દેદાર દિનેશ રોહિદ,અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા,નોટીફાઇડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

Advertisment
Read the Next Article

ભરૂચ : DGVCL દ્વારા માતરીયા ઇન્ટેકવેલ પર  કામગીરીને પગલે વીજ અને  પાણી પુરવઠો રહેશે બંધ

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

New Update
power cut

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

Advertisment

aa

ભરૂચ નગરપાલિકા દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે તારીખ 30-05-2025ને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી માતરીયા ઇન્ટેકવેલ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 7 કલાકથી બપોરેના 1 કલાક સુધી બંધ રાખવામાં આવશે.જેના કારણે શુક્રવારના રોજ સવારના 7 કલાકથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે.જોકે તારીખ 31-05-2025ને શનિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે.

Advertisment