અંકલેશ્વર: બ્રહ્મસમાજ GIDC એકમ દ્વારા રક્તદાન શિબિર યોજાય, 150 યુનિટ રક્ત એકત્રિત કરાયુ

રક્તદાન એ મહાદાન ઉક્તિને સાર્થક કરવા માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

New Update

અંકલેશ્વર જીઆઈડીસીમાં આયોજન

Advertisment

બ્રહ્મ સમાજ દ્વારા આયોજન કરાયું

રક્તદાન શિબિર યોજાય

રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

આમંત્રીતો અને હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું..

રક્તદાન એ મહાદાન ઉક્તિને સાર્થક કરવા માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમ દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ માનવ મંદિર હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisment
આ પ્રસંગે  સુરેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી, સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી એલ.બી. પાંડે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમના પ્રમુખ ચંદુભાઈ જોશી,મહિલા પ્રમુખ રુપલ સી.જોશી, યુવા પ્રમુખ દર્શન જાની, મહામંત્રી ભાસ્કર આચાર્ય, પ્રોજેક્ટ ચેરમેન કંદર્પ તેરૈયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી 150 યુનિટ જેટલું એકત્રિત કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં રક્તક્રાંતિ વીરનું બિરૂદ મેળવનાર રક્તદાતા ધર્મેન્દ્ર પટેલે 115મી વખત રક્તદાન કરી અન્યને પણ રક્તદાન કરવાની અપીલ કરી હતી.
Advertisment
Read the Next Article

ઝઘડિયા : અવિધાના આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,

New Update
  • ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલની સુવિધામાં વધારો

  • આરોગ્ય વર્ધક મંડળ અવિધા દ્વારા કાર્યરત છે હોસ્પિટલ

  • 60 વર્ષ પહેલા હોસ્પિટલનો થયો હતો પ્રારંભ

  • અદ્યતન એક્સ-રે મશીનની સુવિધાનો થયો પ્રારંભ

  • અંકલેશ્વર AIA પ્રમુખના હસ્તે એક્સ-રેનો કરાયો પ્રારંભ  

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ખાતે સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતોહાલના સમયમાં અકસ્માતોથી લઈ અન્ય બીમારીમાં પણ વધારો થતાં આરોગ્ય વર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અદ્યતન સુવિધાઓ સમયાંતરે ઉભી કરવામાં આવી રહી છેઆજરોજ આ હોસ્પિટલમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડીયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સાથે  સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સંસ્થાના 98 વર્ષીય કાંતિ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા,સંસ્થાના પ્રમુખ કિરીટ બી પટેલ દ્વારા સંસ્થાના 60 વર્ષના ઉતાર ચઢાવથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા,અને તેમના દ્વારા લક્ષમાં લેવાયેલ મહિલાઓયુવાનો માટેની‌‌ વિવિધ યોજનાઓ આવનારા સમયમાં અવિધા ગામ ખાતે ઉભી કરવામાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.

Advertisment