અંકલેશ્વર: બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ નિમિતે પૂજન અર્ચન, આતંકી હુમલાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે પૂજન અર્ચન સાથે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • બ્રહ્મ સમાજ દ્વારા આયોજન કરાયું

  • પરશુરામ જન્મોત્સવની ઉજવણી

  • આતંકી હુમલાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

  • બ્રહ્મ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે પૂજન અર્ચન સાથે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ તીર્થક્ષેત્ર રામકુંડ ખાતે ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા, અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર જીઆઇડીસી એકમ દ્વારા વિશેષ પૂજન અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પહેલગામના આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધાસુમન પણ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે બ્રહ્મસમાજના આગેવાન હરીશ જોશી, ભાસ્કર આચાર્ય,ચંદુ જોશી,જનક પટેલ, બિપિન પટેલસહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન પરશુરામની આરતી ઉતારવાનો લાભો લીધો હતો.
Advertisment
Latest Stories